60 ધારાસભ્યોના સમર્થન સાથે સરકાર રચવાનો કર્યો દાવો
રાજ્યપાલ ફાગુ ચોહાણને રાજીનામું સોંપ્યા બાદ સીએેમ નીતિશ કુમારે 60 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો હતો. રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને તેમને સરકારની રચના કરવાનું આમંત્રણ આપ્યું હતું.
જેડીયુના તમામ સાંસદો અને ધારાસભ્યોના મનની વાત સાંભળી-નીતિશ કુમાર
રાજ્યપાલ ફાગુ ચોહાણને રાજીનામું સોંપ્યા બાદ સીએમ નીતિશ કુમારે એવું જણાવ્યું કે જેડીયુના તમામ સાંસદો અને ધારાસભ્યોનું એવું માનવું છે કે જેડીયુએ એનડીએ ગઠબંધનમાંથી બહાર નીકળું જવું જોઈએ.
લાલુપ્રસાદ યાદવની પાર્ટી RJD અને કોંગ્રેસ સાથે સરકાર રચશે નીતિશ કુમાર
રાજ્યપાલને રાજીનામું આપ્યાં બાદ નીતિશ કુમાર મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે પરંતુ તેઓ હવે ભાજપના નહીં પરંતુ આરજેડી અને કોંગ્રેસના સમર્થનથી સરકાર ચલાવશે.
જેડીયુ કાર્યકરોએ જિંદાબાદની નારેબાજી કરી
નીતિશ કુમાર જ્યારે પટણામાં રાજભવન પહોંચ્યાં ત્યારે તેની બહાર જેડીયુ કાર્યકરોએ જિંદાબાદની નારેબાજી કરી હતી અને તેમના નિર્ણયને વધાવ્યો હતો.