બિહારમાં પુલનો અપ્રોચ રોડ તુટવાની વધુ એક ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના ઉદ્ધાટનની થોડાક જ સમય પહેલા મેગા બ્રિજનો અપ્રોચ રોડ તુટી ગયો છે. છપરામાં બંગરા ઘાટ મહાસેતુનો અપ્રોચ રોડ ધ્વસ્ત થઈ ગયો છે. આ પહેલા પુલનો ખર્ચ 509 કરોડ છે. સીએમ નીતિશ કુમાર આજે તેનું ઉદ્ધાટન કરવાના હતા.
બંગરા ઘાટ મહાસેતુનો એપ્રોચ રોડ કટાઈ ગયો હતો
અપ્રોચ રોડ લગભગ 50 મીટરના ઘેરામાં ધ્વસ્થ થઈ ગયો હતો
નીતિશ કુમાર આજે તેનું ઉદ્ધાટન કરવાના હતા
કહેવામાં આવી રહ્યું છે કે બંકુઠપુરમાં સારણ બંધ ટુટવાના કારણે બંગરા ઘાટ મહાસેતુનો એપ્રોચ રોડ કટાઈ ગયો હતો. મહાસેતુના અપ્રોચ રોડ લગભગ 50 મીટરના ઘેરામાં ધ્વસ્થ થઈ ગયો હતો. બિહાર રાજ્ય પુલ નિર્માણ નિગમમાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 2થી વધારે જેસીબી મશીન અને સેંકજો મજૂરો તેના સમારકામમાં લાગ્યા છે.
गोपालगंज का बंगरा घाट का पुल जो CM द्वारा उद्घाटन के पहले ही टूट गया!
अब BJP-JDU वाले हल्ला करेंगे कि पुल नहीं अप्रोच रोड टूटा है जैसे अप्रोच रोड विपक्ष ने बनाया हो!
ત્યારે ગોપાલગંજ આરજેડીએ ટ્વીટ કરી રહ્યું હતું કે ગોપાલહંજનો બંગરા ઘાટનો પુલ સીએમ દ્વારા ઉદ્ધાટનની પહેલા જ ટૂટી ગયો હતો. હવે BJP-JDU હલ્લો કરશે કે પુલ નહીં એપ્રોલ તુટ્યો છે. જાણે કે અપ્રોચ રોડ વિપક્ષે બનાવ્યો હોય. સીએમ તેમ છતાં ઉદ્ધાટન કરશે કેમ કે આજ કાલ તેઓ કોઈ પણ નવી, જૂની, જર્જરીત કે ટુટેલી વસ્તુઓના ઉદ્ધાટન કરવામાં માહેર છે.
બંગરા ઘાટ મહાસેતુના છપરા સાઈડમાં લગભગ 11 કિમી અને મુજફ્ફરપુર સાઈડમાં 8 કિમી લાંબો એપ્રોચ તૈયાર કરવામાં આવ્યો હતો. મહાસેતુ અને અપ્રોચ રોડનો ખર્ચ મળીને 509 કરોડ થયો હતો.
ઉલ્લેખનીય છે કે ગોપાલગંજમાં સત્તરઘાટ પર બનેલા એક નાના પુલના અપ્રોચ સાથે લાગેલો રોડ ધ્વસ્થ થયો ગતો. મંત્રી નંદ કિશોર યાદવે કહ્યું હતું કે સત્તરઘાટ પુલમાં 3 નાના બ્રીજ છે. સત્તરઘાટ બ્રિજથી 2 કિમી દૂર નાનો બ્રિજ છે તેનો એપ્રોચ ફક્ત પાણીના વહેણને કારણે તુટ્યો છે. સત્તરઘાટ પુલને 264 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.