બિહારમાં ઘણા ધારાસભ્યો સાંસદ બનતા ખાલી થયેલી મંત્રીપદ ભરવા માટે મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે (રવિવાર) મંત્રીમંડળનો વિસ્તાર કર્યો. મુખ્યમંત્રીએ પોતાની પાર્ટી JDUમાં 8 ધારાસભ્યોને મંત્રી બનાવ્યા.
આ મંત્રીમંડળમાં નેરન્દ્ર નારાયણ યાદવ, શ્યામ રજક, અશોક ચૌધરી, બીમા ભારતી, સંજય ઝા, રામસેવક સિંહ, નીરજ કુમાર અને લક્ષ્મેશ્વર રાયનું નામ શામેલ છે. આ તમામ લોકોએ આજે રાજભવન ખાતે શપથ લીધા. ઉલ્લેખનીય છે કે, આ માટે મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારના રાજ્યપાલ લાવજી ટંડનની સાથે મુલાકાત કરી હતી.
Bihar cabinet expansion: Eight JDU leaders take oath as ministers in State Government pic.twitter.com/LHqNVFVteA
કેન્દ્રીય કેબિનેટમાં ગઠન પછી નીતિશ સરકારના કેબિનેટનો વિસ્તાર ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.મંત્રી પરિષદમાં સામેલ થનારા તમામ નેતા JDUના જ છે. કેબિનેટ વિસ્તરણ કરાયું તેમાં ભાજપના એક પણ ધારાસભ્યને જગ્યા નથી મળી. કહેવાઇ રહ્યુ છે કે, નીતિશ કુમાર JDUના 3 સાસંદોને મંત્રી બનાવવા ઇચ્છતા હતા પરંતુ આ માટે સહમિત ના થઇ અને શપથ ગ્રહણ પહેલા જ JDUએ મોદી સરકારને બહારને સમર્થન આપવાની વાત કરી.
કેબિનેટ વિસ્તારને લઇને નીતિશ કુમારે કહ્યુ કે, ''લાંબા સમયથી JDUના મંત્રીઓનો વિસ્તાર નહતો થયો, જેણે પૂરો કરવામાં આવ્યો છે અને આ એક રૂટિન કામ છે. ભાજપની સાથે કોઇ મુદ્દા નથી અને તમામ બાબતો ઠીક છે.''
Bihar CM Nitish Kumar on cabinet expansion: Vacancies from JDU quota in the cabinet were empty so JDU leaders were inducted, there is no issue with BJP, everything is fine pic.twitter.com/376FlJVdFF
મહત્વનું છે કે લોકસભા ચૂંટણી બાદ મોદી કેબિનેટમાં પણ JDUમાંથી એક પણ મંત્રીને સ્થાન નહોતું મળ્યું જેનો નીતિશ કુમારે બદલો લીધો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં જ JDUએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપે તે માટે માંગને લઇને પણ ચર્ચા થઇ રહી છે, જેને રાજનીતિના લોકો દબાણની રાજનીતિ સાથે જોડીને જોઇ રહ્યા છે. બંધારણના ધારા 370 દૂર કરવાની વાત હોય કે પછી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કે પછી ટ્રિપલ તલાક અને સમા નાગરિક કાયદા હોય, આ તમામ મામલામાં JDU ભાજપથી અલગ હતુ. JDUએ આ તમામ બાબતોને લઇને પોતાની અલગ મંતવ્ય આપી ચૂક્યુ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ માટે ચર્ચા કરતા કહ્યુ કે, ''પાર્ટીમાં તમામનું મંતવ્ય છે કે કોઇને કેન્દ્ર સરકારમાં સાંકેતિક ભાગીદારી નથી જોઇએ. બિહારમાં પણ ગંઠબંધનની પહેલા અને આજે પણ સરકાર ચાલી રહી છે.''