બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના મંત્રીમંડળનો વિસ્તાર થયો છે.
બિહારમાં મહાગઠબંધનની સરકાર
નવી સરકારનો આજે મંત્રીમંડળનો વિસ્તાર થયો
કુલ 31 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના મંત્રીમંડળનો વિસ્તાર થયો છે. રાજ્યપાલ ફાગુ ચૌહાણે સૌથી પહેલા 5 ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. 5-5 મંત્રીઓના ક્રમમાં ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. આજે 31 ધારાસભ્યોએ શપથ લીધા હતા.
#BiharCabinetExpansion | JD(U) MLA Leshi Singh and others take oath as ministers in the Bihar cabinet.
બિહાર મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 31 મંત્રી હશે. મંગળવારે આ મંત્રીઓના શપથ બાદ ખાલી જગ્યા ભરવામાં આવશે. બિહાર વિધાનસભામાં સત્તા સમાધાન અંતર્ગત સૌથી મોટી પાર્ટી રાજદ પાસે વધારે મંત્રી પદ હશે. તો વળી મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી બીજા નંબર છે.