2020માં સૌથી વધુ ચર્ચામાં રહેનારૂ કોઈ રાજ્ય હશે તો તે બિહાર છે. વર્ષના અંત સુધીમાં આ આ વર્ષની સૌથી મોટી ચૂંટણી બિહાર વિધાનસભાની છે. ચૂંટણી પહેલા જ બિહારમાં રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. કનૈયા કુમાર, પ્રશાંત, કિશોર, પપ્પુ યાદવ, તેજસ્વી અને તેજપ્રતાપ આ તમામ નેતાઓએ ચારેકોરથી મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે ઘેરાબંધી કેરી લીધી છે. ચૂંટણીના ચક્રવ્યૂમાં ફસાય તે પહેલા જ નીતિશ કુમારે પણ માસ્ટરસ્ટ્રોકે મારીને પોતે બિહારની રાજનીતિના અભિમન્યૂ હોવાનો સંદેશો આપી દીધો છે. નીતિશ કુમારે 72 કલાકમાં જ ધડાધડ મોટા નિર્ણયો કરીને વિરોધઓની મોમાં આંગળી નાખતા કરી દીધા છે.
બિહારમાં NRC પર રોક, સરકારી શાળાઓ બનાવવાની જાહેરાત, જાતિઆધારિત વસતી ગણતરી અને 2010ના ફોર્મ્યુલા પર NRP જેવા નિર્ણયો કરીને વિરોધીઓની સાથે પોતાના સાથી પક્ષને પણ સંકેત આપ્યા છે છે બિહારમાં ગઠબંધનના સર્વેસર્વા નીતિશ જ છે. નીતિશે આ તમામ નિર્ણયો ઉપરાંત એક મહત્વની જાહેરાત કરીને બિહારની જનતાને પણ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. ભ્રષ્ટાચારને અટકાવવા માટે નીતિશ સરકારે ઇનામ યોજનાની જાહેરાત કરી છે. જેને ચૂંટણી પહેલાનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહ્યો છે.
નીતિશ સરકારે નિર્ણય કર્યો છે જેમાં કોઈ નાગરિક લાંચિયા કર્મચારી, અધિકારી કે પદાધિકારીને પકડાવશે તો તેને ઇનામ આપવામાં આવશે અને સાથે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. ભ્રષ્ટાચારીઓને પકડાવવા પર એકે હજારથી 10 હજાર સુધીનું ઇનામ આપવામાં આવશે. જો કોઈ મોટો ભ્રષ્ટાચારનો પર્દાફાશ થશે અને સરકારની મોટી રકમ બચશે તો આ ભ્રષ્ટાચાર પકડાવનારને 2 ટકા રકમ પુરસ્કાર તરીકે અપાશે. આ પુરસ્કારની રકમ 5 લાખની મર્યાદામાં ચુકવાશે. બાતમી આપનાર વ્યિકત સરકારી સેવક સામે આવક કરતા વધુ સંપત્તિ, આલીશાન મકાન પાછળ ખર્ચ અને ભ્રષ્ટાચારના આચરણની ફરિયાદ કરી શકશે અને આક્ષેપ સાચા સાબિત થશે તો બાતમીદારને ઇનામ અપાશે. ઇનામ આપવા માટે અલગથી પ્રાઇઝ ફંડ રાખવામાં આવશે. જેમાંથી બાતમીદારને ઇનામ ઉપરાંત કોર્ટમાં આવવા જવા ઉપરાંત જમવા માટેનો ખર્ચ પણ આપવામાં આવશે.
જાહેરાતને ચૂંટણીલક્ષી જાહેરાત ગણાવવામાં આવી છે
નીતિશ કુમારની આ જાહેરાત પર વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે જાહેરાતને ચૂંટણીલક્ષી જાહેરાત ગણાવવામાં આવી છે. આ જાહેરાત ચૂંટણી નજીક જ કેમ કરવામાં આવી તેવા પણ સવાલ કરવામાં આવી રહ્યા છે. તો યોજનામાં બાતમી આપનારની ગુપ્તતા કેવી રીતે જળવાશે તેવા પણ સવાલ ઉઠાવી રહ્યા છે. કારણ કે બાતમીદારે કોર્ટમાં હાજરી આપવી પડે તો તેની ગુપ્તતા જાળવવી મુશ્કેલ બનશે. જોકે નિતિશનું આ ભ્રષ્ટાચાર વિરોધી મોડલ સફળ રહે તો અન્ય રાજ્યો માટે પણ પ્રેરણા સ્વરૂપ બનશે. અન્ય રાજ્યો પણ આ મોડલ અપનાવશે તો ભ્રષ્ટાચાર સામે લડનારા જાગૃત નાગરિકની હિમ્મત પણ વધશે.
નિતિશ કુમાર પહેલેથી જ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરંસ પોલિસીની વાત કહી ચુક્યા
નિતિશ કુમાર પહેલેથી જ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરંસ પોલિસીની વાત કહી ચુક્યા છે. પોતાની ભ્રષ્ટાચાર વિરોધી છબીના કારણે જ 2005થી બિહારની રાજનીતિમાં નિતિશ કુમારનો દબદબો યથાવત છે. નિતિશ કુમાર જે પાર્ટીનો હાથ પકડે છે તે સામાં આવ છે.