બિહારમાં મોટી દુર્ઘટના થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
બિહારમાં મોટી દુર્ઘટના
નદીમાં ડૂબી ગયા 22 લોકો
છ લોકોના શબ મળી આવ્યા, રેસ્ક્યૂ ચાલુ
મોટી દુર્ઘટના
બિહારનાં મોતિહારીથી હૃદય દ્રવી ઉઠી તેવા સમાચાર સામે આવી રહ્યા છે. સિકરહનાં નદીને પાર કરવા જઈ રહેલા લોકોને કરુણ મોત મળ્યું જેમા બોટમાંઆ સવાર 22 લોકો ડૂબી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં ડૂબેલા લોકોમાંથી છ લોકોનાં શબ મળી આવ્યા છે જ્યારે બાકીના લોકોને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
પરિવાર પર તૂટી પડ્યો દુ:ખોનો પહાડ
જાણકારી અનુસાર બોટમાં સવાર તમામ લોકો પોતાના પશુઓ માટે ઘાસચારો લેવા માટે જઈ રહ્યા હતા અને એવામાં બોટ ડૂબી જતાં મોટી દુર્ઘટના થઈ છે. ભારે સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પોલીસે સ્વિમર્સને નદીમાં ઉતારી દીધા છે તથા લોકોને કાઢવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ડૂબી ગયેલા લોકોનાં ખૂબ જ ખરાબ હાલ છે, મહિલાઓનાં હૈયાફાટ રુદનથી આખો વિસ્તાર ગમગીન બન્યો છે.