કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાના વિરોધ વખતે બિહારના અમુક નેતાઓને સુરક્ષા આપી હતી, જે વીઆઈપી સુરક્ષા હવે પાછી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
બિહાર ભાજપના અમુક નેતાઓની વીઆઈપી સુરક્ષા પાછી લેવાઈ
અગ્નિપથ યોજનાના વિરોધ પર અપાઈ હતી સુરક્ષા
કેન્દ્ર સરકાર તરફથી સેનામાં ભરતીને લઈને એક નવી યોજના શરુ કરી છે જેનુ નામ અગ્નિપથ છે. સેના ભરતીનની અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા ટાર્ગેટ પર હતા અને વિરોધનું સૌથી મોટુ કેન્દ્ર બનીનું બિહાર સામે આવ્યું હતું. બિહારમા ઉગ્ર પ્રદર્શનકારીઓ ભાજપના નેતાઓને નિશાન બનાવી રહ્યા હતા. ત્યારે આવા સમયે સરકારે બિહારના અમુક નેતાઓને વીઆઈપી સુરક્ષા આપી હતી.
કેન્દ્ર સરકારે બિહારના અમુક નેતાઓને વાઈ શ્રેણીની સુરક્ષા આપી હતી. કેન્દ્ર સરકારે હવે બિહારના 10 નેતાઓ પાસેથી વાય શ્રેણીની સુરક્ષા પાછી લઈ લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે બિહાર ભાજપના એ 10 નેતાઓની વાઈ કેટેગરીની સુરક્ષા પાછી લેવાનો નિર્ણય કર્યો છે, તેમાં પાર્ટી અધ્યક્ષ ડોક્ટર સંજય જયસ્વાલ પણ સામેલ છે.
સૂત્રોનુ માનીએ તો, બિહાર ભાજપ અધ્યક્ષ ડો. સંજય જયસ્વાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ અને રેણૂ દેવી, દરભંગાથી સાંસદ ગોપાલજી ઠાકુર, અરરિયાથી સાંસદ પ્રદીપ સિંહ, કિશનગંજથી એમએલસી દિલીપ જયસ્વાલની વાય કેટેગરીની સુરક્ષા પાછી લેવામાં આવી છે. આ ઉપરાંત કટિહારથી એમએલસી અશોક અગ્રવાલ, દીધા ધારાસભ્ય સંજીવ કુમાર ચૌરસિયા, વિસ્ફી ધારાસભઅય હરિભૂષણ ઠાકુર બચૌલ અને દરભંગાથી ધારાસભ્ય સંજય સરાવગીની સુરક્ષા પાછી લેવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.