કોરોના અને લૉકડાઉનની વચ્ચે સામાજિક સદ્ભાવને લઇને પણ પોલીસ સતત ધ્યાન રાખી રહી છે. બિહારના ડીજીપીનો કડક આદેશ છે લૉકડાઉન દરમિયાન સામાજિક સદ્ભાવને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં.
સોશિયલ સાઇટ્સ પર ખોટી પોસ્ટને લઇને પોલીસ કડક
સામાજિક સદ્ભાવ બગાડનાર લોકોની વિરુદ્ધ કાર્યવાહી
લૉકડાઉન દરમિયાન સામાજિક એકતાને લઇને બિહાર પોલીસ ખૂબ જ કડક જોવા મળી રહી છે. પોલીસે એને લઇને ઘણી જગ્યાએ કાર્યવાહી પણ કરી ચુકી છે. નવો મામલો હાજીપુરનો છે જ્યાં સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ મૂકનાર એક ભારતીય જનતા પાર્ટી નેતાની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ થનાર બીજેપી નેતા અજીત સિંહ પ્રદેશ કાર્યસમિતિના સભ્ય છે. એ સાથે જ તેઓ રેલવે બોર્ડના પણ સભ્ય છે.
ભાજપ નેતા પર આરોપ છે કે એમને કોરોના અને જમાતને લઇને સોશિયલ મીડિયા પર વિવાદીત પોસ્ટ મૂકી હતી. એને જોતા વૈશાલી પોલીસે ભડકાઉ પોસ્ટના મામલે બીજેપી નેતાની ધરપકડ કરી લીધી છે. વાસ્તવમાં કોરોના અને લૉકડાઉનની વચ્ચે સામાજિક એકતાને લઇને પોલીસ સતત સાવચેતી રાખે છે.
બિહારના ડીજીપીનો કડક આદેશ છે કે લૉકડાઉન દરમિયાન સામાજિક એકતાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન ચલાવી લેવામાં આવશે નહીં. માત્ર વૈશાલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સોશિયલ મીડિયામાં વિવાદીત પોસ્ટ મૂકવાના મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કડીમાં મંગળવારે ભાજપના નેતાની પણ ધરપકડ કરવામાં આવી.
આ ઘટના માટે હાજીપરના એસડીપીઓ રાઘવ દયાળે કહ્યું કે જ્યારે લૉકડાઉન સમગ્ર રીતે લાગૂ થયું છે, ત્યારથી કેટલાક લોકો વિવાદીત પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા છે. એનાથી સામાજિક અને સાંપ્રદાયિક એકતા બગડવાની શક્યતા બનેલી છે. એની પર પોલીસ મુખ્યાલય પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.