બિહારમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં બીજેપી (BJP) અને જેડીયૂ (JDU) 50-50 ફોર્મૂલા હેઠળ ચૂંટણી લડી શકે છે. 2019માં થયેલી લોકસભા ચૂંટણીમાં પણ બંને પાર્ટીઓએ આ ફોર્મૂલા હેઠળ ચૂંટણી લડી હતી અને બંને પાર્ટીને જબરદસ્ત જીત હાંસલ કરી હતી.
બિહાર વિધાનસભા ચૂંટણી બીજેપી અને જેડીયૂ 50-50 ફોર્મૂલા હેઠળ લડી શકે છે
2019ની લોકસભા ચૂંટણીમાં બંને પાર્ટીઓએ આ ફોર્મૂલા હેઠળ જીત મેળવી હતી
બીજેપી સૂત્રોના હવાલાથી આ સમાચાર મળ્યા છે. સૂત્રોનું કહેવું છે કે, હાલ શીટ શેયરિંગ પર વાતચીત ચાલી રહી છે, એવામાં બંને પાર્ટી લોકસભા ચૂંટણીની ફોર્મૂલા વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગ કરી શકે છે.
બીજેપીએ લોકસભા ચૂંટણી દરમિયાન જ જેડીયૂની સામે આ શરત રાખી હતી કે ગઠબંધનના સહયોગીઓને બેઠકોની વહેંચણી કરાયા બાદ જે બેઠકો બચે, તેને બંને પાર્ટીઓ વચ્ચે સમાન રીતે વહેંચી લેવામાં આવશે. એવામાં બીજેપી હવે વિધાનસભા ચૂંટણીમાં પણ જેડીયૂ અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સામે આ શરત મુકી શકે છે.
બિહારના વૈશાલી જિલ્લામાં સંશોધિત નાગરિકતા કાયદાના સમર્થનમાં આયોજિત એક રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું હતું કે, બિહારમાં આવનારી વિધાનસભાની ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવશે. અમિત શાહના નિવેદન બાદ હવે એ તમામ અટકળો પર પૂર્ણ વિરામ લાગી ગયું છે કે, જેમા માનવામાં આવતું હતું કે, બીજેપી નીતિશ કુમારથી અલગ હટીને ચૂંટણી લડવા પર વિચાર કરી રહી છે.
નોંધનીય છે કે, આ પહેલા જેડીયૂના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર કહી ચૂક્યા છે કે, જેડીયૂએ 50 ટકા બેઠકો પર ચૂંટણી લડવી જોઇએ. તેઓએ કહ્યું છે કે બેઠક વહેંચણી 2010 વિધાનસભા ચૂંટણી હેઠળ કરવી જોઇએ. 2010માં જેડીયૂ 142 બેઠકો પર અને બીજેપી 101 બેઠકો પર ચૂંટણી લડી હતી. જોકે, ત્યારે લોક જનશક્તિ પાર્ટી (LJP) ગઠબંધનનો ભાગ નહોતી.
જોકે, બેઠક વહેંચણીને લઇને સ્થિતિ હાલ સ્થિતિ પૂર્ણ રીતે સ્પષ્ટ નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહે હાલના દિવસોમાં ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર આ વર્ષે યોજાનારી બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએનો ચહેરો હશે. સ્પષ્ટ છે કે, મહારાષ્ટ્રના ઝટકા બાદ બીજેપી અહીં ગઠબંધનને લઇને ખૂબજ સંવેદનશીલ છે. બીજેપી અહીં એક-એક પગલુ સાચવીને ભરી રહી છે.