બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કાનું આજે મતદાન થયું છે. જેનું પરિણામ 10 નવેમ્બર આવશે. પરિણામો પહેલા બિહારનો મૂડ એગ્ઝિટ પોલમાં ખબર પડી જશે. તો ગુજરાત, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત અન્ય પેટાચૂંટણીના પણ એક્ઝિટ પોલ સામે આવ્યા છે. જાણો એગ્ઝિટ પોલમાં કોણની જીતની શક્યતા અને કોણ હાર તરફ...
બિહાર વિધાનસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ
પરિણામ પહેલા એગ્ઝિટ પોલ આવ્યા સામે
જાણો કોની જીતની શક્યતા અને કોણ હારી શકે છે
એગ્ઝિટ પોલમાં જાણો સંભવિત વિજેતાઓ અને પરાજિત વિશે એક મોટી તસવીર જાણવા મળી છે. આ ચૂંટણી અનેક પાસાઓમાં ખુબ મહત્વની છે. કોરોના કાળમાં આ પહેલી સામાન્ય ચૂંટણીની સાથે કેટલાક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.
VTV પર બિહારનો એગ્ઝિટ પોલ
VTV પર બિહાર ચૂંટણીનો સટિક અક્ઝિટ પોલ. તેવામાં ચૂંટણી સર્વેક્ષણ એજન્સિઓ અને સમાચાર ચેનલોના એગ્ઝિટ પોલ પરિણામ VTV પર એક જગ્યા પર આવી ચૂક્યા છે. જાણો બિહારમાં કોણ જીતશે ગઢ? શું નીતીશ કુમારનો જાદુ ચાલશે કે તેજસ્વી જીતશે? વિકાસનો મુદ્દો જીતશે કે રોજગારીનો મુદ્દો હાવી થશે? નીતીશના છેલ્લી ચૂંટણીવાળા નિવેદનની શું અસર થશે? ક્રિકેટર અને કલાકાર યુવા રાજકારણી સામે નીતીશ બાજી મારી જશે?
આ બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 5 વાગ્યા સુધી 54% મતદાન નોંધાયું છે. આ મતદાન પૂર્ણ થતા જ કેટલાક એગ્ઝિટ પોલ સામે આવ્યા છે. રાજ્ય ચૂંટણીના સૌથી સચોટ એગ્ઝિટ પોલ જાણો...
Agency
JDU+
RJD+
LJP
Others
TIMES NOW - CVoter
116
120
1
2
Republic Jan Ki Baat
118-138
91-117
5-8
8-14
INDIA TV
125
98
15
ABP - CVoter
102-118
104-120
27-50
TV9 BharatVarsh
110-120
115-125
3-5
10-15
Today's Chanakya
55-65
180-190
8-12
વિકાસના મુદ્દે વોટતેજસ્વી યાદવે બાજી મારી
બિહારમાં સત્તા પરિવર્તનના એંધાણ જણાઇ રહ્યા છે. મોટા ભાગના EXIT POLLમાં મહાગઠબંધનની જીત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એગ્ઝિટ પોલમાં 44 ટકા લોકોએ તેજસ્વી યાદવને બિહારમાં આગામી મુખ્યમંત્રી માન્યા છે. ત્યારે, 35 ટકા લોકોને નીતીશ કુમારને 3 ટકા લોકોએ સુશીલ કુમારને મોદીને આગામી મુખ્યમંત્રી માન્યા છે. 7 ટકા લોકોએ LJPના પ્રમુખ ચિરાગ પાસવાનને આગામી મુખ્યમંત્રી માન્યા છે.
એગ્ઝિટ પોલમાં સામે આવ્યું કે બિહારમાં 42 ટકા લોકોએ વિકાસના મુદ્દે મતદાન કર્યું. ત્યારે 30 ટકા બેરોજગારી અને 11 ટકા લોકોએ મોંઘવારીના મુદ્દા પર મતદાન કર્યું.
એગ્ઝિટ પોલની તમામ અપડેટ VTV News પર LIVE જુઓ...
એગ્ઝિટ પોલ સર્વેઃ મધ્યપ્રદેશ પેટાચૂંટણીમાં ભાજપને 46 ટકા અને કોંગ્રેસને 43 ટકાનું અનુમાન
મધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થઇ. ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાના એગ્ઝિટ પોલમાં ભાજપે બાજી મારી છે. ભાજપના ખાતામાં 16-18 બેઠકો અને કોંગ્રેસના ખાતામાં 10-12 બેઠકો આવી શકે છે. તેવામાં શિવરાજસિંહ ચૌહાણ રાજ્યમાં પોતાની સરકાર બચાવતા નજરે આવી રહ્યા છે. ભાજપને 46 ટકા મત જ્યારે કોંગ્રેસને 43 ટકા વોટ મળવાનું અનુમાન છે.
ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપને 37 ટકા અને સપાને 27 ટકા મત મળવાનો અંદાજ છે. BSPને 20 અને કોંગ્રેસને 8 ટકા મત મળ્યા છે. જણાવી દઇએ કે ઉત્તરપ્રદેશમાં 7 બેઠકો પર મતદાન થયું હતું. બેઠકોની વાત કરીએ તો ભાજપને 5-6 અને સપાને 1-2 બેઠક મળવાનો અંદાજ છે.
ગુજરાતની પેટા ચૂંટણી પર VTVનો પત્રકાર પોલ સામે આવ્યો છે જેમાં ભાજપની 5 સીટ પર જીત નક્કી ગણાઈ રહી છે. જ્યારે પત્રકાર પોલમાં કોંગ્રેસની 3 સીટ પર જીત નક્કી. પોલમાં અબડાસા, મોરબી, ગઢડામાં ભાજપની જીત પાક્કી ગણાઈ રહી છે જ્યારે પોલમાં સૌરાષ્ટ્રની લીંબડી અને ધારી પર કોંગ્રેસની જીત પાક્કી માનવામાં આવે છે. દક્ષિણ ગુજરાતની ડાંગ અને કપરાડામાં ભાજપની જીત નક્કી છે. મધ્ય ગુજરાતની કરજણ સીટ પર કોંગ્રેસની જીત નક્કી ગણાઈ રહી છે.