બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને શુક્રવારે દિશા નિર્દેશ જાહેર થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે 2-3 ચરણોમાં ચૂંટણી યોજાશે. મનાઈ રહ્યું છે કે નવેમ્બર એન્ડ સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે રાષ્ટ્રપતિ શાસન લગાવીને બિહારમાં ચૂંટણીની જે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી તેને ફગાવી દેવામાં આવી છે.
બિહારમાં 2-3 ચરણોમાં ચૂંટણી યોજાશે
2-3 ચરણમાં વોટિંગ થાય છે તો તેના પરિણામમાં મોડુ થઈ શકે છે
ચૂંટણી આયોગ 20 સપ્ટેમ્બર અથવા તેની આસપાસની તારીખે ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરી શકે છે
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ચુંટણી આયોગની વચ્ચે મંત્રણા ચાલી રહી છે કે બિહારમાં 2-3 ચરણમાં વોટિંગ પુરુ કરવામાં આવે. ત્યારે શંકા સેવાઈ રહી છે કે જો 2-3 ચરણમાં વોટિંગ થાય છે તો તેના પરિણામમાં મોડુ થઈ શકે છે. 2015ની વિધાનસભા ચૂંટણીની જાહેરાત 9 સપ્ટેમ્બરમાં થઈ હતી. આ દરમિયાન બિહારમાં 6 ચરણમાં ચૂંટણી થઈ હતી.
સૂત્રો મુજબ ચૂંટણી આયોગ 20 સપ્ટેમ્બર અથવા તેની આસપાસની તારીખે ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરી શકે છે. કોરોના કાળમાં વોટિંગ પ્રક્રિયાને કેવી રીતે પુરી કરી શકાય તેની ડિટેલમાં ગાઈડલાઈન જાહેર કરી શકાય છે. આ ગાઈડલાઈન શુક્રવારે સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે. ગાઈડલાઈનને લઈને ચુંટણી આયોગ લાંબી વાતચીત કરી ચૂક્યુ છે.
મળતી માહિતી મુજબ શુક્રવારે બપોરે બિહાર ચુંટણીને લઈને દિલ્હી સ્થિત ચુંટણી આયોગની ઓફિસમાં બેઠક શરુ થશે. તેમાં વિસ્તૃત ગાઈડલાઈન્સ પર મોહર લાગી શકે છે. સોમવારે બિહારના તમામ જિલ્લાધિકારીઓ સાથે ચૂંટણીને લઈને ચૂંટણી આયોગ વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક કરી શકે છે.