બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીએ મોટું એલાન કર્યું છે. સમાજવાદી પાર્ટીએ બિહાર ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવારોને સમર્થન આપવાનું એલાન કર્યું છે.
બિહાર ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ કર્યું એલાન
RJDના ઉમેદવારોને સમર્થન આપશે
આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને નિર્ણય
સમાજવાદી પાર્ટીએ ટ્વિટ કરીને કહ્યું કે, આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી કોઇપણ પાર્ટીસાથે ગઠબંધન ન કરીને રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવારોનું સમર્થન કરશે.
आगामी बिहार विधानसभा चुनावों में समाजवादी पार्टी किसी भी पार्टी से गठबंधन ना करते हुए राष्ट्रीय जनता दल के उम्मीदवारों का समर्थन करेगी।
જણાવી દઇએ કે, મુલાયમસિંહ અને લાલૂ યાદવ બન્ને સંબંધીઓ છે. લાલૂ યાદવની નાની દીકરી રાજ લક્ષ્મીના લગ્ન મુલાયમસિંહના મોટાભાઇના દીકરા તેજપ્રતાપ સાથે થયા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં બન્ને મહાગઠબંધનમાં લાલૂ યાદવે સપા માટે પાંચ બેઠકો છોડવાનું એલાન કર્યું હતું.
RJDના પોસ્ટર પરથી લાલૂ પ્રસાદ તમામ રીતે ગાયબઃ ભાજપ
આરજેડીના નવા પોસ્ટર પર પોતાના એકલાનો ફોટો લઇને તેજસ્વી યાદવ વિરોધીઓના નિશાને છે. બિહાર ભાજપ અધ્યક્ષ જાયસવાલે કહ્યું કે, તમે ક્યાંય પણ જોઇ લો, તેજસ્વી સિવાય કોઇનો ચેહરો આરજેડીના પોસ્ટર પર નથી લાગતો, લાલૂ પ્રસાદ તમામ રીતે ગાયબ છે. અંતે, તેજસ્વીનો એજન્ડા શું છે, તેઓ તે ચેહરાથી શા માટે ભાગી રહ્યા છે, જે તેમના પિતા પણ છે. તેજસ્વી પોતાની વિરાસત પર શરમ અનુભવે છે, જો તેમને લાગે છે કે તેમના માતા-પિતાના શાસનકાળ દરમિયાન જે કોંગ્રેસ સાથે મળીને કુશાસન અને અરાજકતાનું નિર્માણ કરવામાં આવ્યું, તે શરમનું કારણ છે, તેમણે આખા રાજ્યની જનતાની માફી માંગવી જોઇએ, ન કે આવી રીતે રાજનીતિ કરવી જોઇએ.