બિહારમાં એક્યૂટ ઇન્સેફલાઇટિસ સિન્ડ્રોમ(AES) એટલે કે 'મગજનો તાવ' નો પ્રકોપ વધતો જઇ રહ્યો છે. આ તાવામાં મરનારની સંખ્યા વધીને 100 પર પહોંચી ગઇ છે. મુઝફ્ફરપુરના શ્રી કૃષ્ણ મેડિલ કોલેજ એન્ડ હોસ્પિટલ (SKMCH) અને કેજરીવાલ હોસ્પિટલમાં 375 બાળકો એડમિટ છે.
'મગજના તાવ' થી પીડિત માસૂમ બાળકોના સૌથી વધારે મોત મુઝફ્ફરપુરના એસકેએમસીએચ હોસ્પિટલમાં થઇ છે. જ્યારે 'મગજનો તાવ'થી મોતિહારી પણ બાકાત રહ્યું નથી. અહીં એક બાળકી પીડિત છે.
'મગજનો તાવ' ની મહામારીને રોકવાના અત્યાર સુધીના તંત્રના પ્રયાસ નિષ્ફળ સાબિત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પૂરી ટીમ સાથે રવિવારે મુઝફ્ફરપુર પહોંચ્યા હતા અને ડૉક્ટરોને ક્લીનચીટ આપતા કહ્યું હતું કે, હોસ્પિટલ પૂર્ણ રીતે પ્રયાસ કરી રહ્યું છે.
હર્ષવર્ધને કહ્યું કે, બીમારીની ઓળખ કરવા માટે શોધ થવી જોઇએ, જેની હજુ સુધી ઓળખ થઇ શકી નથી. એમણે કહ્યું કે, આ બીમારીના પ્રકોપને કંટ્રોલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સંગઠનોની સાથે મળીને કામ કરવું જોઇએ અને પ્રભાવિત વિસ્તારોના તમામ બાળકોનું ટીકાકરણ કરવું જોઇએ. આ ઉપરાતં લોકોમાં બીમારીને લઇને જાગરુકતા વધારવાની જરૂર છે.