બિહારમાં ગુરુવારે કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે આકાશી આફતરૂપી વીજળી પડવાથી 83 લોકોના મોતની ભયાનક ખબર સામે આવી છે. આ સાથે લગભગ એક ડઝન જેટલાં લોકો ગંભીર હોવાના પણ સમાચાર મળી રહ્યાં છે. જ્યારે બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં પણ વીજળી પડવાથી ઓછામાં ઓછાં 20 લોકોના મોત થયા છે.
બિહાર-ઉત્તરપ્રદેશમાં મુસીબતનો વરસાદ
વાવાઝોડુ અને ભારે વરસાદથી ભારે નુકસાન
વીજળી પડવાથી 100થી વધુ લોકોના મોત
બિહારના 23 જિલ્લાઓમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. ભારે વરસાદ અને પવનની સાથે આકાશમાંથી વીજળીના કહેરથી 83 લોકોના મોત થયા છે. સાથે જ વીજળીની ચપેટમાં આવેલા લોકો ગંભીર રૂપથી કેટલાંક લોકો ઘાયલ પણ થયા છે. જેમાં સૌથી વધુ મોત ગોપાલગંજમાં થઈ છે જ્યાં 13 લોકોના મોત થયા છે. બિહારના 8 એવા જિલ્લામાં છે જ્યાં ઓછામાં ઓછી 5 મોત થઈ છે. જેમાં ગોપાલગંજ, પૂર્વી ચંપારણ, સિવાન, બાંકા, દરભંગા, ભાગલપુર, મધુબની અને નબાદા છે.
મુખ્યમંત્રી નીતીશ કુમારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે ખરાબ હવામાનમાં સાવધાની રાખે અને વરસાદ દરમિયાન ઘરમાં અથવા સુરક્ષિત સ્થળે જ રહે. મહત્વનું છે કે હવામાન વિભાગે 26 જૂન સુધી બિહારનાં 18 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર અને ઉત્તરપ્રદેશમાં આકાશી આફતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી છે. ટ્વિટ કરીએ પીએમએ કહ્યું કે, બિહાર અને ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ અને આકાશી વીજળી પડવાથી કેટલાક લોકોના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. રાજ્ય સરકારો તાત્કાલિકથી રાહત કાર્યોમાં લાગી છે. આ સંકટમાં જે લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે, તેમના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કર્યું છું.
बिहार और उत्तर प्रदेश के कुछ जिलों में भारी बारिश और आकाशीय बिजली गिरने से कई लोगों के निधन का दुखद समाचार मिला। राज्य सरकारें तत्परता के साथ राहत कार्यों में जुटी हैं। इस आपदा में जिन लोगों को अपनी जान गंवानी पड़ी है, उनके परिजनों के प्रति मैं अपनी संवेदना प्रकट करता हूं।
મહત્વનું છે કે બિહારમાં અત્યાર સુધી કોરોનાથી થયેલા મોતનો આંકડો 56 (24 જૂન સુધી) છે. ત્યારે આમ જોવા જઈએ તો કોરોનાથી મોત બિહારમાં થયા છે તેનાથી લગભગ ડબલ જેટલો આંકડો આજે એક દિવસમાં આ વીજળી પડવાથી મોત થતાં દેશમાં ખળભળાટ મચી ગયો છે.
કયા જિલ્લામાં થયા મોત ?
જાણકારી અનુસાર આજે ભારે વરસાદને કારણે આકાશમાંથી વીજળી પડવાથી ગોપાલગંજમાં 13, મધુબની અને નાબાદમાં 8-8, સીવનમાં 5, બાંકામાં 5, ભાગલપુરમાં 5, બેતિયામાં 2, મોતિહારીમાં 2ની સાથે દરભંગા, શિવહર અને સમસ્તીપુરમાં એક-એક વ્યક્તિના મોતની ખબર છે. આ ઉપરાંત બાળકી અને મહિલા સહિત કેટલાંક ગંભીર હોવાની પણ જાણકારી મળી રહી છે. જણાવાઈ રહ્યું છે કે મરનારામાં સૌથી વધુ ખેતરમાં કામ કરી રહ્યાં હતાં.
ઉત્તર બિહાર સહિત કેટલાંક જિલ્લાઓમાં હજુ પણ સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પહેલાં જ ગુરુવાર અને શુક્રવારે મૂશળધાર વરસાદની આગાહી કરી હતી.
હવામાન વિભાગ અનુસાર ગુરુવારે રો અરરિયા અને કિશનગંજ જિલ્લાને રેડ ઝોનમાં અને પૂર્વીય ચંપારણ, પશ્ચિમી ચંપારણ, ગોપાલગંજ, સીવાન, સારણ, મધુબની, મુઝફ્ફરપુર, દરભંગા, વૈશાલી, શિવહર, સમસ્તીપુર, સુપૌલ, પૂર્ણિયા, સહરસા અને મધેપુરાને ઓરેન્જ ઝોનમાં મૂકાયા છે.
આકામાંથી વીજળીના બચવાના ઉપાય
હવામાન વિભાગે 26 જૂન સુધી બિહારના 18 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. બિહાર આપદા વિભાગ તરફથી કોઈ પણ આફતને નિપટવા માટે તૈયારી કરી લેવામાં આવી છે. જ્યારે NDRF અને SDRF પણ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે અલર્ટ મોડ પર છે. ઍક્સપર્ટ અનુસાર ભારે વરસાદ દરમ્યાન ઘરની બહાર ન નીકળવું જોઈએ. જો ઘરની બહાર છો તો વરસાદથી બચવા માટે કોઈ ઝાડ નીચે ન ઊભાં રહો. જો આકાશમાં વીજળીના કડાકા થઈ રહ્યાં છે તો ઈલેક્ટ્રોનિક ઉપકરણોને બંધ કરી દો. વીજળીની ચમકારા સમયે મોબાઈલનો ઉપયોગ પણ ખતરનાક સાબિત થઈ શકે છે.
ઉત્તરપ્રદેશમાં પણ વીજળી 20 લોકોને ભરખી ગઈ
બીજી બાજુ આજે ઉત્તર પ્રદેશમાં આકાશમાંથી વીજળી પડતાં 20 લોકોના મોત થયાની ખબર છે. જેમાં 13 લોકો ગોરખપુર વસ્તી મંડળના છે જ્યારે 4 લોકો પ્રયાગરાજના યમુનાપારના અને અન્ય જુદા-જુદા વિસ્તારના છે. આ સાથે અહીં 13-14 લોકો પણ વીજળીની ચપેટમાં આવતા ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.