ઉત્તર બિહારમાં દર વર્ષે ગરમીના દિવસોમાં મગજનો તાવ (AES) ની બીમારી બાળકો પર કાળ બનીને વરસે છે. મુઝફ્ફરપુર જિલ્લામાં આ બીમારી ખતરનાક સ્વરુપ ધારણ કરી ચૂકી છે. અહીં એક સપ્તાહમાં મગજના તાવથી 31 બાળકોના મોત થઇ જવાથી સ્વાસ્થ્ય વિભાગમાં ભૂંકપ આવી ગયો છે. મુઝફ્ફરપુર જિલ્લામાં ગત 24 કલાકમાં મગજના તાવને કારણે છ બાળકોના મોત થઇ ગયા છે.
ઉત્તર બિહારમાં મુઝફ્ફરપુર અને તેની આસપાસના જિલ્લામાં મગજના તાવની ઘાતક બીમારી બાળકો પર કહેર બની તૂટી પડી છે. આ બીમારી મહામારીનું રૂપ લઇ રહી છે. રવિવારે સવારથી સાંજ સુધીમાં માત્ર 12 કલાકમાં એસકેએમસીએચ અને કેજરીવાલ હોસ્પિટલમાં 23 ગંભીર બાળકોને ભરતી કરવામાં આવ્યા છે. આ નવા દર્દીઓમાં ત્રણ બાળકોના મોત થઇ ગયા છે.
જ્યારે અન્ય બે બાળકોને મૃત અવસ્થામાં જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે મગજના તાવના 75થી વધારે દર્દીઓના કેસ સામે આવ્યા છે જ્યારે અન્ય 50 દર્દીઓનો એસકેએમસીએચ અને કેજરીવાલમાં ઇલાજ ચાલી રહ્યો છે.
સ્વાસ્થ્ય વિભાગમાં માત્ર 10ના મોત દર્શાવાયા
સ્વાસ્થ્ય વિભાગ અનુસાર આ બીમારીમાંથી 34માં હાઇપોગ્લેસિમિયાની પુષ્ટી કરવામાં આવી છે. વિભાગે 2 જુનથી 7 જુન સુધી 10 લોકોના મોતની વાત કહી છે. સીએસ. ડૉ.એસપી સિંહ અને એસકેએમસીએચના અધીક્ષક ડૉ. એસકે શાહી અનુસાર આ ડેટા આરએમઆરઆઇ પટનાથી જે રિપોર્ટ મળી છે તેના આધારે છે.
PICU ફુલ
એસકેએમસીએચના બંને PICU ફૂલ થઇ ગયા છે. ત્રીજા PICUને ખોલવાની કવાયદ શરૂ કરવામાં આવી છે.