બિહારના મુઝફફરપુરમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 11 લોકોનાં મોત નિપજ્યાં છે અને 4 લોકો ઇજાગ્રસ્ત થયાં છે. આ દૂર્ઘટના મુઝફફરપુરના કાંટી પ્રખંડ માં થયો છે. આ અકસ્માત એક સ્કોર્પિયો અને ટ્રેકટરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
રોડ અકસ્માતમાં 11 લોકોનાં મોત
બિહારના મુઝફ્ફર પુરમાં ટક્કર
સ્કોર્પિયો અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત
આ અકસ્માત એટલો બધો ગોઝારો હતો કે સ્કોર્પિયોને ઘણું બધું નુકસાન પહોંચ્યું છે. સ્કોર્પિયો એનએચ-28 પર જઇ રહી હતું, ત્યારે ટ્રેકટર સાથે ટક્કર થઇ હતી. આ દૂર્ઘટનામાં 11 લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે મૃતકોની સંખ્યામાં હજી પણ વધારો થઇ શકે તેમ છે.
અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો
અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. સ્થાનિક લોકોએ ટ્રાફિક જામ કરી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર દૂર્ઘટના સરમસપુર હેલ્થ કેરની સામે ઘટી છે. પોલીસે ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયાં છે.
પોલીસે જણાવ્યું છે કે આ દૂર્ઘટના શનિવાર વહેલી સવારે ઘટી છે. પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી રહી છે કે આ દૂર્ઘટનામાં જે સ્કોર્પિયો ક્ષતિગ્રસ્ત થઇ છે તેનો રજિસ્ટ્રેશન નંબર ઉત્તર પ્રદેશનો હતો.
જેસીબીની લેવાઇ મદદ
આ દૂર્ઘટના અંગેની જાણકારી મળ્યાં બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પહોંચી અને બધા મૃતદેહોને એમ્બ્યુલન્સમાં રાખી શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. મરનાર બધા લોકો મુઝફ્ફરપુરના હથોડીના રહેવાસી હતા. પોલીસ હાલમાં જેસીબી મશીનની મદદથી ક્ષતિગ્રસત ટ્રેકટર અને સ્કોર્પિયોને હટાવવાની કામ કરી રહી છે.