રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પાકિસ્તાનના નનકાના સાહિબ (Nankana Sahib) ગુરુદ્વારા પર ટોળાના કથિત પથ્થરમારા અને નારેબાજીની ઘટનાની નિંદા કરી. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, પરસ્પર સન્માન અને પ્રેમ દ્વારા જ કટ્ટરતાના ઝેરને ખતમ કરવામાં આવી શકે છે.
રાહુલ ગાંધી નનકાના સાહિબ ગુરુદ્વારા પર ટોળાના કથિત પથ્થરમારા અને નારેબાજીની ઘટનાની નિંદા કરી
રાહુલ ગાંધીએ કહ્યું, પરસ્પર સન્માન અને પ્રેમ દ્વારા જ કટ્ટરતાના ઝેરને ખતમ કરવામાં આવી શકે છે
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મુઝફ્ફરનગરમાં કહ્યું કે, આવી કોઇપણ પ્રકારની ઘટનાની નિંદા થવી જોઇએ
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'નનકાના સાહિબ પર હુમલો નિંદનીય છે અને તેની ખુલીને નિંદા કરવી જોઇએ'. તેઓએ કહ્યું,' કટ્ટરતા ખતરનાક છે અને તે ખુબ જ જુનું ઝેર છે જેની કોઇ સીમા નથી. પ્રેમ, પરસ્પર સન્માન અને સમજદારી જ આ ઝેરને ખતમ કરે છે.'
The attack on Nankana Sahab is reprehensible & must be condemned unequivocally .
Bigotry is a dangerous, age old poison that knows no borders.
Love + Mutual Respect + Understanding is its only known antidote.
આ ઘટના પર પૂછવા પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મુઝફ્ફરનગરમાં કહ્યું કે, આવી કોઇપણ પ્રકારની ઘટનાની નિંદા થવી જોઇએ. જ્યારે પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી કહ્યું, 'નનકાના સાહિબ ગુરુદ્વારા પર થયેલો હુમલો માનવતાના આદર્શો અને ધાર્મિક મૂલ્યોને શરમમાં મૂકનારી ઘટના છે. આ હુમલા માટે પાકિસ્તાન સરકાર જવાબદાર છે. આ ઘટનાની અમે કડક શબ્દોમાં ટીકા કરીએ છીએ. પાકિસ્તાન સરકાર નનકાના સાહિબની સુરક્ષા સુનિશ્ચિત કરે.' કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓએ પણ આ ઘટનાની નિંદા કરી છે.
આ ઉપરાંત નનકાના સાહિબ ગુરુદ્વારા પર પથ્થરમારાની ઘટનાની ભારત સરકારે કડક શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે પાક. સરકારને આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જ્યારે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને ગુરુદ્વારામાં ફંસાયેલા શ્રદ્ધાળુઓને નીકાળવા માટે અપીલ કરી છે.