PM Kisan Scheme હેઠળ KYC કરાવનાર ખેડૂતોને જ 13મા હપ્તાનો લાભ આપવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત જો તમે કોઈ ભૂલ કરી છે તો તમને તેનો લાભ નહીં મળે. આવો જાણીએ તેના વિશે....
ખાતામાં આવશે PM Kisan યોજનાનો 13મો હપ્તો
સામે આવી સૌથી મોટી અપડૅટ
આ તારીખ સુધી એકાઉન્ટમાં આવી જશે પૈસા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને નવી અપડેટ સામે આવી છે. જો તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો અને પીએમ કિસાન યોજનાના 13માં હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આ રાહ ખતમ થઈ જશે. આ યોજના હેઠળ 2000 રૂપિયાની રકમ તમારા ખાતામાં જલ્દી જાહેર થવાના છે.
13મા હપ્તામાં મળશે લાભ
10 કરોડથી વધારે ખેડૂતોને 13માં હપ્તાનો લાભ મળશે. અમુક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ 13માં હપ્તાને તેનો લાભ મળશે. અમુક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ 13માં હપ્તાને આ મહિનાના અંત અને 8 માર્ચ એટલે હોળી પહેલા જાહેર કરી શકે છે. સરકાર જલ્દી જ તેની જાહેરાત કરી શકે છે. જોકે તેની ઓફિશ્યલ વેબસાઈટ પર તેની જાણકારી સામે નથી આવી.
13માં હપ્તા માટે KYC
કેન્દ્ર સરકાર આવા ખેડૂતોના ખાતામાં આ રકમ નહીં મોકલે જેમણે હજુ સુધી KYC નથી કર્યું. તને યોજનાની વેબસાઈટ પર જઈને KYC કરાવી શકો છો. સાથે જ નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને પણ KYC કરાવી શકાય છે.
જો તમે ઓનલાઈન KYC કરાવવા માંગો છો તો તમને pmkisan.gov.in સર્ચ કરવાનું રહેશે. ત્યાર બાદ KYC વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. હવે આધાર નંબર, ઓટીપી અને અન્ય જાણકારી દાખલ કરીને KYC પુરૂ કરી શકો છો.
આ કારણે પણ નહીં મળે યોજનાનો હપ્તો
ફક્ત KYC જ નહીં જો તમે આ યોજનામાં રજીસ્ટ્રેશન વખતે કોઈ ભૂલ કરી દીધી છે અથવા ફરી નામ બદલાઈ ગયું છે તો પણ તમને યોદનાનો લાભ નહીં મળે. બેંક ડિટેલ, નામ, એડ્રેસ અને અન્ય વસ્તુઓની ખોટી જાણકારી આપવા પર અરજી કેન્સલ થઈ શકે છે અને યોજનાનો લાભ રોકાઈ શકાય છે.