'તારક મહેતા કા ઉલ્ટા' ખૂબ જ લોકપ્રિય છે અને તેમાં નવા-નવા ટ્વિસ્ટ પણ આવતા રહે છે. પણ હાલ સીરિયલમાં દિશા વાકાણીની વાપસીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. દિશા વાકાણી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા'માં ક્યારે કમબેક કરશે તેને લઈને હજી સુધી મિસ્ટ્રી બરકરાર છે. દિશા વાકાણી છેલ્લાં બે વર્ષથી શોમાંથી ગાયબ છે. જોકે, એક નાનકડા સીન માટે દિશાએ શૂટિંગ કર્યું હતું, પરંતુ તે શોમાં ફુલ ફ્લેજ ક્યારે કમબેક કરશે તે અંગે હાલ કંઈ જ નક્કી નથી.
દિશા વાકાણીની વાપસીની અટકળો વચ્ચે આવ્યું મોટું ટ્વિસ્ટ
સાથી કલાકારોને દિશા 6 કલાક કામ કરશે તે સામે વાંધો
મેકર્સ દયાબેનની માની એન્ટ્રી કરી શકે છે
થોડાં દિવસ પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે, દિશાએ શોમાં કમબેક કરવા માટે શરત મૂકી હતી કે તે માત્ર 6 કલાક જ કામ કરશે. મેકર્સે દિશાની આ શરત માની પણ લીધી હતી. આ સાથે જ મેકર્સે દિશા માટે સેટ પર કિડ્સ પ્લે બનાવવાનું વચન પણ આપ્યું હતું, જેથી તે પોતાની દીકરી પર પૂરતું ધ્યાન રાખી શકે અને બ્રેક દરમિયાન દીકરી સાથે ટાઈમ વિતાવી શકે. જોકે, મેકર્સનો આ પ્લાન હવે ફ્લોપ થતો દેખાઈ રહ્યો છે.
દિશા વાકાણીના કમબેકનો વિરોધ
સ્પોટબોય મુજબ, શોના કેટલાક એક્ટર્સે દિશા વાકાણીના કમબેકને લઈને વિરોધ કર્યો છે. તેમને દિશાના 6 કલાક કામ કરવાની શરતને લઈને વાંધો છે. આ જ કારણથી દિશાની વાપસીને લઈને મોડું થઈ રહ્યું છે. દિશાએ સપ્ટેમ્બર 2017થી મેટરનિટી લીવ લીધા બાદ છેલ્લા 2 વર્ષથી શોમાંથી ગાયબ છે. થોડાં સમય પહેલાં દિશા વાકાણીને રિપ્લેસ કરવાના પણ સમાચાર હતા, પણ હમણાં જ દિશાએ શો માટે એક નાનકડો સીન શૂટ કર્યો હતો, જેને જોઈને ચાહકો ખુશ થઈ ગયા. પરંતુ ચાહકોની ખુશી વધુ દિવસ ટકી શકી નહીં. હવે જોવાનું એ રહ્યું કે દિશા શોમાં કમબેક કરશે કે નહીં.
દયાબેનની રાહ જોઈ રહેલાં ફેન્સ માટે શોમાં નવો ટ્વિસ્ટ
તાજેતરની રિપોર્ટ મુજબ શોમાં હાલ દયાબેનની એન્ટ્રીને લઈને તો અટકળો ચાલી રહી છે ત્યારે એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે દયાબેનની મા શોમાં એન્ટ્રી કરી શકે છે.
કઈ રીતે દયાબેનની માની થશે શોમાં એન્ટ્રી
અપકમિંગ એપિસોડમાં જેઠાલાલના પિતા ચંપક લાલ લાંબા સમયથી મિસિંગ છે. ત્યારે પિતાની શોધ કરતા-કરતા જેઠાલાલ થાકી જાય છે અને તે બેચેની અનુભવે છે. ચંપકલાલ પાસે ચશ્મા પણ નથી. તેથી જેઠાલાલને વધુ ચિંતા થઈ રહી છે. ચશ્મા ન હોવાથી ચંપકલાલને દેખાઈ નથી રહ્યું અને મદદ માગતા તેઓ વધુ મુસીબતમાં ફસાતા જાય છે.
દયાબેનની માનો ચહેરો જોવા મળશે કે નહીં
આ બધી મથામણ વચ્ચે જેઠાલાલ અને સોસાયટીના અન્ય મેમ્બર્સ ચંપકલાલ ગુમ થવાની રિપોર્ટ લખાવવા પોલીસ સ્ટેશન પહોંચે છે. આ દરમિયાન જેઠાલાલ તેની સાસુ એટલે કે દયાબેનની માને ફોન કરીને પિતા ગુમ થવા અંગે સલાહ માગે છે. દયાબેનની મા જમાઈની મદદ કરે છે. હવે જોવાનું રહેશે કે શોમાં દયાબેનની માનો ચહેરો બતાવશે કે પછી બેકગ્રાઉન્ડમાં તેમનો અવાજ જ સાંભળવા મળશે.