દેશમાં કોરોનાવાયરનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતમાં કોરોનામાં 90 હજારથી વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, જ્યારે અત્યાર સુધીમાં 2800 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. આ દરમિયાન, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના કેસ છે, રાજ્યમાં હાલ કોરનાના આંકડા 33 હજારને પાર પહોંચી ગયા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત
મુંબઇમાં દર્દીઓની સંખ્યા 20 હજારને પાર
રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના મામલામાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો. રવિવારે, મહારાષ્ટ્રમાં કોરોનાના 2347 નવા કેસ નોંધાયા છે, જેનાથી દર્દીઓનીસંખ્યા 33,053 થઈ છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાનો આ સૌથી વધુ કેસ છે. રાજ્યમાં આજે 63 લોકોનાં મોત નીપજ્યાં અને તેનો આંકડો 1198 પર પહોંચી ગયો.
મુંબઇમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 20 હજારને પાર
44 more #COVID19 cases reported in the Dharavi area of Mumbai. Total number of cases in the area rises to 1242, including 56 deaths: Brihanmumbai Municipal Corporation (BMC) pic.twitter.com/lRTYCXQLFe
આ તરફ મુંબઇમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 20 હજારથી વધુ થઇ છે. મુંબઇમાં કોરોનાના 20150 દર્દીઓ થયાં છે. ત્યારે અહીં અત્યાર સુધીમાં 734 લોકોએ જીવ ગુમાવ્યા છે. મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 1595 નવા મામલા આવ્યા છે અને 38 લોકોના મોત થયાં છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 7688 દર્દીઓ સાજા થયાં છે.
ધારાવીમાં નવા 44 કેસ નોંધાયા
મુંબઇની ધારાવીમાં કોરોનાના નવા 44 નવા કેસ સામે આવ્યા છે સાથે જ અહીં કુલ દર્દીઓની સંખ્યા 1242 થઇ ચૂકી છે. તો ધારાવીમાં 56 લોકોના કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત થઇ ચૂક્યા છે.
દેશભરમાં લૉકડાઉન 31 મે સુધી લંબાવાયું
દેશભરમાં લૉકડાઉન 31 મે સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 14 દિવસ વધુ લૉકડાઉન લાગૂ રહેશે. ત્યારે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. ગૃહમંત્રાલયે ગાઈડલાઇન જાહેર કરી છે તેમાં જેમાં મેટ્રો ટ્રેન સેવાને પરવાનગી નહીં, મેટ્રો, સ્કૂલ, કૉલેજ બંધ રહેશે. હોટ સ્પોટ વિસ્તારમાં કડકાઈ રહેશે. જ્યારે હોટલ, રેસ્ટોરન્ટ બંધ જ રહેશે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનોને મંજૂરી નહીં.
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 90 હજારને પાર
ભારતમાં Covid-19માં કોરોનાના દર્દીઓનો આંકડો 90 હજારની પાર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે દેશમાં કોરોનાને કારણે 2872 લોકોના મોત થયાં છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 90927 થઇ ગઇ છે. તો છેલ્લા 24 કલાકમાં 4987 નવા દર્દીઓ નોંધાયા છે અને 120 લોકોના જીવ ગયા છે.