કુખ્યાત આરોપી જેલમાંથી ફરાર થવા મામલે વધુ એક ચોકાવનારો ખુલ્લાસો સામે આવ્યો છે. ભૂજ પોલીસની તપાસમાં ચોંકાનારો ખુલાસો સામે આવતા ફરી નિખિલ દોંગાને લઈ મહત્વનો ખુલાસો સામે આવ્યો છે.
નિખિલ દોંગા ફરાર થઈ જવા મામલો
પૂર્વ ધારાસભ્યની હત્યાનું કાવતરું ઘડ્યું
ખંડણી ઉઘરાવવામાં પણ નિખિંલ દોંગાનો હાથ
કુખ્યાત આરોપી જેલમાંથી ફરાર થવા મામલે વધુ એક ચોકાવનારો ખુલ્લાસો સામે આવ્યો છે. ભૂજ પોલીસની તપાસમાં ચોંકાનારો ખુલાસો સામે આવતા ફરી નિખિલ દોંગાને લઈ મહત્વનો ખુલાસો સામે આવ્યો છે.
પૂર્વ ધારાસભ્યની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો
ગેંગસ્ટર દોંગાએ પૂર્વ ધારાસભ્યની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો સામે આવ્યો છે. તેમજ જયરાજસિંહ જાડેજાની હત્યા માટે ભૂજ જેલમાંથી નિખિલ દોંગા ફરાર થયો હોવાનું પણ મનાઈ રહ્યું છે. મહત્વનું છે કે નિખિલ દોંગાના પિતા વિરુદ્ધ ગોંડલ સિટીમાં ગુનો દાખલ કરાયો હતો જેને લઈ આ ગુનો જયરાજસિંહ જાડેજાએ નોંધાવ્યો હોવાના માની નિખિંલ દોંગાએ હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. સમગ્ર મામલે આરોપી અને આધાર કાર્ડ બનાવનાર હજું પણ ફરાર હોવાનું મનાઈ રહ્યું છે.
નિખિલ દોંગા ફરાર થઈ જવા મામલો
મહત્વનું છે કચ્છ જિલ્લાની પોલીસના જાપ્તામાંથી ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ફરાર થઈ ગયો હતો જેને લઈ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા રાજકોટની જેલમાં નિખિલ દોંગાની તબિયત લથડતા તેને સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો પરતું તકનો લાભ લઈ નિખિલ દોંગા ફરાર થઈ ગયો હતો.
ખંડણી ઉઘરાવવામાં પણ નિખિંલ દોંગાનો હાથ
નિખિલ દોંગાની ધરપકડ બાદ વધુ 5 ગુના નોંધ્યા હતા જેમાં ગોંડલની નિખિલ ગેંગે દ્વારા એક કરોડની ઉઘરાણીનો, તેમજ જેલમાંથી જ ધમકી આપવાના મામલે ગોંડલ પોલીસે નિખિલ દોંગા સહિત 16 લોકો સામે ફરિયાદ દાખલ કરી ગુનો નોંધ્યો હતો.