રમેશ પોખરિયાલ નિશંક અને શ્રમ મંત્રી સંતોષ ગંગવારે રાજીનામું આપ્યું
દેવાશ્રી ચોધરીને પણ મંત્રી મંડળમાંથી હટાવાશે
ઓબીસી ઉપરાંત એસસી અને એસટીને પણ કેબિનેટમાં સ્થાન અપાશે.
મોદી કેબિનેટ વિસ્તરણ પહેલા એક મોટી ખબર આવી છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને પર્યાવરણીય મંત્રી પ્રકાશ જાવડેકરે રાજીનામું આપ્યું છે. પ્રસાદ અને જાવડેકરે સાથે કુલ 12 મંત્રીઓએ રાજીનામા આપ્યાં છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તમામ મંત્રીઓના રાજીનામા સ્વીકારી લીધા છે.
43 મંત્રીઓ મોદી સરકારમાં સામેલ થશે. કેબિનેટ વિસ્તરણ પહેલા 43 મંત્રીઓની યાદી સામે આવી છે.
લિસ્ટમાં ગુજરાતના પાંચ નેતાઓ સામેલ છે.
મનસુખ માંડવિયા
પરશોત્તમ રૂપાલા
દર્શના જરદોશ
દેવુસિંહ ચૌહાણ
મહેન્દ્ર મુંજપરા
43 leaders to take oath today in the Union Cabinet expansion. Jyotiraditya Scindia, Pashupati Kumar Paras, Bhupender Yadav, Anupriya Patel, Shobha Karandlaje, Meenakshi Lekhi, Ajay Bhatt, Anurag Thakur to also take the oath. pic.twitter.com/pprtmDu4ko
The President of India accepts resignation of 12 members of the Council of Ministers including IT Minister Ravi Shankar Prasad, Environment Minister Prakash Javadekar, Health Minister Harsh Vardhan, Education Minister Ramesh Pokhriyal ‘Nishank and others: Rashtrapati Bhavan pic.twitter.com/mNbP2V3lhn
સાંજે 6 વાગે થનારા મોદી સરકારના મંત્રીમંડળ વિસ્તરણમાં 43 નવા મંત્રીઓ શપથ લેશે. પીએમ મોદી કેબિનેટમાં સામેલ થઈ રહેલા 43 નેતાઓની ફાઈનલ યાદી આવી છે.
10 મંત્રીઓને પ્રમોશન, 33 નવા ચહેરાને સ્થાન મળ્યું
કેબિનેટ વિસ્તરણમાં 10 મંત્રીઓને પ્રમોશન અપાયું છે જો 33 નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. આ તમામ નેતાઓ સાંજે 6.00 વાગ્યે મંત્રી તરીકેના શપથ લેશે.