લોકસાહિત્યકાર દેવાયત ખવડે કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી આજે ટળી છે. આગામી 17 ડિસેમ્બરે દેવાયતની આગોતરા અરજી પર સુનાવણી યોજાશે.
દેવાયત ખવડે કરેલા હુમલા મામલે સુનાવણી ટળી
17 ડિસેમ્બરે આગોતરા અરજી પર થશે સુનાવણી
8 દિવસથી દેવાયત અને તેના સાથીદારો છે ફરાર
લોકસાહિત્યકાર દેવાયત ખવડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી. દેવાયત ખવડે કરેલી આગોતરા જામીનની અરજીની સુનાવણી આજે ટળી છે. રાજકોટ કોર્ટમાં આગામી 17 ડિસેમ્બરે દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
દેવાયત ખવડે આગોતરા જામીનની કરી છે અરજી
તાજેતરમાં રાજકોટમાં મૂળ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતે લાકડી વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડી હતી. ત્યારપછી દેવાયત નાસી ગયો છે. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડ 8 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે. રાજકોટમાં હુમલો કર્યા બાદ ધરપકડથી બચવા દેવાયત ખવડે આગોતરા જામીનની અરજી કરી છે. દેવાયત ખવડે રાજકોટ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે.
એ-ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયો છે ગુનો
રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડની શોધખોળ હજી પણ ચાલી રહી છે. મહત્વનું છે કે, એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો છે. દેવાયત ખવડ સહિત આરોપી પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડને ઝડપવા પોલીસ પહેલા રાજકોટના ઘરે અને તેમના વતન મુળી દૂધઈ ગામે પહોંચી હતી પરંતુ તેઓ ત્યાંથી પણ મળ્યા ન હતા.
દેવાયત ખવડ અને પોલીસની સાઠગાંઠના આક્ષેપો
મયુરસિંહ રાણા પર હુમલા બાદ દેવાયત ખવડ અને પોલીસ પોલીસકર્મીઓ વચ્ચે સાઠગાંઠ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. 8 દિવસ થયા હોવા છતાં હજુ પણ દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી નથી. દેવાયત ખવડ અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. દેવાયત ખવડની ધરપકડ ન થતાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે રાજકોટમાં ક્ષત્રિય સમાજે આજે પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી. સમાજના લોકોએ 24 કલાકમાં દેવાયત ખવડની ધરપકડ કરવાની માંગ કરી છે.