ભારતનો સૌથી મોટો સોનાનો ખજાનો મળી આવ્યો છે જ્યાં દેશના કુલ સોનાનો 44% હિસ્સો રિઝર્વ્ડ હોવાની માહિતી મળી છે.
બિહારમાં મળ્યો સોનાનો ભંડાર
દેશનું 44% સોનું છે અહીં
15 વર્ષ પહેલા થયું હતું ખોદકામ
બિહારને એક ગરીબ રાજ્ય કહેવાતું આવ્યું છે. પણ આ રાજ્ય ટૂંક સમયમાં અમીર બનવા જઈ રહ્યું છે.
આ સમાચાર જાણીને તમને નવાઈ લાગે એ સ્વાભાવિક છે પરંતુ હવે દેશનો સૌથી મોટો સોનાનો ભંડાર બિહારના Jamui જિલ્લાના સોનો બ્લોકના કરમટિયા (Karmatiya) વિસ્તારમાં છે.
આ વાતની જાણકારી ખુદ કેન્દ્રીય ખાણ મંત્રી પ્રહલાદ જોશીએ આપી છે. પ્રહલાદ જોશીએ ખુલાસો કર્યો છે કે દેશનો સૌથી મોટો સોનાનો ભંડાર જમુઈમાં છે.
દેશનું 44 ટકા સોનું
જમુઈ જિલ્લાના સોનો વિસ્તારમાં દેશના ટોટલ સોનાનું 44 ટકા સોનું છે. હવે આ બાબત પર મહોર લાગતા આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અદ્ભુત સમાચાર બાદ આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોમાં આશા છે કે હવે માત્ર અહીંના લોકો જ નહીં પરંતુ સમગ્ર બિહાર સમૃદ્ધ થશે. હવે ટૂંક સમયમાં અહીં સોનાની ખાણકામ શરૂ થશે.
લોકોમાં ખુશીની લહેર
કરમટિયા વિસ્તારમાં દેશનું 44 ટકા સોનું મળી આવતા આ વિસ્તારના લોકો ખુશ થઈ ગયા હતા. ચુરહેત ગામના સુધાકર કુમાર સિંહ અને પુનીત કુમાર સિંહે કહ્યું કે તેઓ નાની ઉંમરથી જ જોતા આવ્યા છે કે 8 કિમીની ત્રિજ્યામાં જમીનમાં ચમકતા ખનિજો મળી આવે છે, જે સોનું છે. બીજી તરફ મહેશ્વરી ગામના દીપક સિંહે જણાવ્યું હતું કે કોલકાતાની ટીમ 15 વર્ષ પહેલા અહીં પ્રથમ સર્વે માટે આવી હતી, ત્યારબાદ સોનાની સાથે બીજી ખનીજ પણ મળ્યાનું કહેવામાં આવ્યું હતું. હવે જ્યારે સરકારે કહ્યું છે કે અહીં સોનાનો સ્ટોક છે તો ખાણકામને કારણે સ્થાનિક લોકો માટે રોજગારી તો વધશે જ સાથે જ બિહાર અને જમુઈ પણ સમૃદ્ધ થશે.
15 વર્ષ પહેલા થયું હતું ખોદકામ
જમુઈ જિલ્લાના સોનો બ્લોકની ચૂરહેત પંચાયતનો કરમટિયા વિસ્તાર ઘણા દાયકાઓથી સોનાના ભંડારને લઈને ચર્ચામાં છે.
અહીંના લોકોનું કહેવું છે કે ઘણા સમય પહેલા અહીંની માટીમાંથી સોનાના નાના ટુકડા મળી આવ્યા હતા. ઘણા સમય પહેલા લોકો કરમટીયા વિસ્તારની માટીને નદીના પાણીમાં ધોઈને ગાળીને સોનું કાઢતા હતા જેના કારણે લગભગ 15 વર્ષ પહેલા સરકારી એજન્સીના લોકો અહીં આવ્યા હતા અને મહિનાઓ બાદ સર્વેની કામગીરી કરવામાં આવતી હતી. આ જ સર્વેમાં સામે આવ્યું છે કે જમુઈ જિલ્લાના સોનો બ્લોકના આ કરમટિયા વિસ્તારમાં દેશનો સૌથી મોટો સોનાનો ભંડાર છે, એવું માનવામાં આવી રહ્યું છે કે અહીં 44 ટકા સોનું મળી રહ્યું છે.
જમુઈમાં અન્ય ઘણા ખનિજોનો ભંડાર
જમુઈ જિલ્લાના સોનો સિવાય અન્ય બ્લોક્સમાં પણ ઘણા પ્રકારના ખનિજ પેદાશોમળી આવે છે, જેમાં અબરખ, ઓનીક્સ સહિત ઘણા કિંમતી પથ્થરો પણ સામેલ છે. આવી સ્થિતિમાં જણાવવામાં આવી રહ્યું છે કે 15 વર્ષ પહેલા જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના લોકોના સર્વે બાદ ખોદકામ મોંઘું લાગવાના કારણે ખોદકામ ફરી શરૂ થઈ શક્યું નથી. પરંતુ, આધુનિક ટેક્નોલોજીની મદદથી હવે ખોદકામ પહેલા કરતા સસ્તું થઈ રહ્યું છે, તેથી હવે ટૂંક સમયમાં અહીં સોનાની ખાણકામ શરૂ થાય તેવી શક્યતાઓ છે.