90 વર્ષ અગાઉ અંગ્રેજોના શાસનમાં અને ગાયકવાડ સ્ટેટમાં દાંતા તાલુકામાં રંગપુર પાસે અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે રેલવેનું એન્જિન દોડતું હતું
પીએમ નરેન્દ્ર મોદીની ગુજરાતને વધુ એક મોટી ભેટ: તારંગા-આબુ રેલવેલાઈન
તારંગા-આબુ રેલવેલાઈનમાં રાજસ્થાન અને ગુજરાતના મહત્વના સ્થળો જોડાશે
90 વર્ષ અગાઉ અરવલ્લીની ગિરિમાળાઓમાં રેલવેનું એન્જિન પસાર થતું હતું
ગુજરાતના 3 જિલ્લામાં કુલ 11 રેલવે સ્ટેશન ઊભાં કરવામાં આવશે
તાજેતરમાં જ ગુજરાતને એક નવી રેલની ભેટ મળી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તારંગા હિલ-અંબાજી-આબુ રોડની નવી રેલને મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે 90 વર્ષ અગાઉ અંગ્રેજોના શાસનમાં અને ગાયકવાડ સ્ટેટમાં દાંતા તાલુકામાં રંગપુર પાસે અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે રેલવેનું એન્જિન દોડતું હતું. રેલવે સેવા આજથી 90 વર્ષ અગાઉની આ અંતરિયાળ વિસ્તારમાં છે જેની નિશાનીઓ પણ રંગપુર ગામ નજીક છે. આજે આપણે જાણીશું આ રેલવે લાઇન અને આ ટ્રેનથી ગુજરાતને શું ફાયદો થશે એના વિશે.
90 વર્ષ અગાઉ અરવલ્લીની ગિરિમાળાઓમાં રેલવેનું એન્જિન પસાર થતું હતું
90 વર્ષ અગાઉ પણ દાંતા તાલુકાની અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચેથી રેલવેનું એન્જિન પસાર થતું હતું. ત્યારે હવે વર્ષો બાદ ફરી એકવાર રેલ્વેનાં ધક ધક અવાજ પહાડોમાં ગુંજશે. 90 વર્ષ અગાઉ અંગ્રેજોના શાસનમાં અને ગાયકવાડ સ્ટેટમાં દાંતા તાલુકામાં રંગપુર પાસે અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે રેલવેનું એન્જિન દોડતું હતું. રેલવે સેવા આજથી 90 વર્ષ અગાઉની આ અંતરિયાળ વિસ્તારમાં છે જેની નિશાનીઓ પણ રંગપુર ગામ નજીક છે. રેલવેના જે પુલના થાંભલા હોય એ પણ અત્યારે મોજુદ છે અને જે સ્ટેશન કૂવો ગણાતો જ્યાંથી રેલવેના એન્જિન માટે પાણી લઈ જવાતું એ કૂવો પણ અત્યારે મોજુદ છે. ત્યારે કેન્દ્ર સરકારે આ રેલ્વે ટ્રેક પર ફરીથી 2700 કરોડની મંજૂરી આપી અને રેલવેને મંજૂરી આપતા અંતરિયાળ એવા આદિવાસી વિસ્તારનો વિકાસ થશે સાથે સાથે યાત્રાધામ અંબાજી માં આવતા શ્રદ્ધાળુઓને રેલવેની સુવિધા પણ મળી રહેશે.
તારંગા હિલ- અંબાજી-આબુ રોડ રેલવે લાઈનની ઘણા લાંબા સમયથી માગ હતી. અંબાજી મુખ્ય યાત્રાધામ છે. સાથે જ આબુમાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. સાથે જ ગુજરાતનું તારંગા પણ ખૂબ જ પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. કેબિનેટના નિર્ણય મુજબ આ ત્રણેય સાઈટને રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવશે. આ લાઇન 116 કિમી લાંબી હશે. આ પ્રોજેક્ટથી 40 લાખ લોકોને રોજગારી મળશે. આનાથી મહેસાણા પાલનપુરની મુખ્ય લાઇન અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પરના દબાણમાં પણ ઘટાડો થશે.
રાજસ્થાન અને ગુજરાતના મહત્વના સ્થળો જોડાશે
પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તારંગા હિલ-અંબાજી-આબુ રોડની નવી રેલને મંજૂરી આપી દેવાતા ગુજરાત અને ખાસ કરી મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના ઉદ્યોગો તથા વેપારીઓને મોટે પાયે ફાયદો થશે. આ સાથે અમદાવાદથી આબુ જતા લોકો માટે સરકારે હવે વિકલ્પ બનાવવાની શરૂઆત કરી છે.
ગુજરાતના 3 જિલ્લામાં કુલ 11 રેલવે સ્ટેશન ઊભાં કરવામાં આવશે
તારંગા હિલ-અંબાજી-આબુ રોડની નવી રેલ માટે ગુજરાતમાં 82 કિલો મીટર લાંબી રેલવેલાઈન નાખવામાં આવશે, જેમાં આદિવાસી વિસ્તાર છે તેમજ રિઝર્વ્ડ ફોરેસ્ટ વિસ્તાર છે. આ રેલવેલાઈન સાથે સાથે મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં કુલ 11 રેલવે સ્ટેશન પણ ઊભાં કરવામાં આવશે, જેથી મુસાફરો માટે વધારે સારી સુવિધા ઊભી થશે, જેનાથી ઉત્તર ગુજરાતને વધારે સારી રેલ સુવિધા મળશે.
केंद्रीय मंत्रिमंडल ने तरंगा हिल-अंबाजी-आबू रोड को रेलवे नेटवर्क से जोड़ने की मंजूरी दी। 116 किमी की ये नई रेलवे लाइन मात्र 4 साल में बनकर तैयार हो जाएगी और इसमें 2798 करोड़ खर्च होंगे: केंद्रीय मंत्री अनुराग ठाकुर, दिल्ली pic.twitter.com/072VtxLTn8
ગુજરાત અને રાજસ્થાનને જોડતો આ પ્રોજેક્ટ રૂ.2798 કરોડના ખર્ચે 4 વર્ષે પૂર્ણ થશે. જોકે અનેક રજૂઆતો બાદ આ અંગે ફુલપ્રૂફ પ્લાનિંગ સાથે કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે. આ માટે કુલ 116 કિલોમીટરની રેલવેલાઈન નાખવામાં આવશે, જેમાં ગુજરાતમાં 82 કિલો મીટરની, જ્યારે રાજસ્થાનના સિરોહી જિલ્લામાં 34.65 કિલો મીટરની રેલવેલાઇન નખાશે.
5 સુરંગ અને 1 ઓવરબ્રિજ પરથી પસાર થશે રેલલાઇન
ગુજરાત અને રાજસ્થાનને જોડતો તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલ પ્રોજેક્ટની તારંગા-આબુ રેલવેલાઈન પાંચ સુરંગ અને એક ઓવરબ્રિજ પરથી પસાર થશે. ખાસ કરીને ગુજરાતના ત્રણ જિલ્લા મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠાના ઉદ્યોગો તથા વેપારીઓને મોટે પાયે ફાયદો થશે.