પાકવીમામાં ગોલમાલ મુદ્દે વીટીવી દ્વારા સૌથી મોટો ખુલાસો કરાયો છે. વીટીવીની તપાસમાં 6 જેટલી કંપનીઓ બેનકાબ થઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે જે પ્રિમિયમ સરકારે કંપનીઓને આપ્યું છે તેની માત્ર 40 ટકા જ રકમ ખેડૂતોને મળી છે. જે કંપનીએ તગડું પ્રિમિયમ લઈ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. જેમાં એગ્રી કલ્ચર ઈન્સ્યોરન્સને સરકારે 580 કરોડ રૂપિયા આપ્યા જેની સામે કંપનીએ ખેડૂતોને માત્ર 87 કરોડ રૂપિયા જ ચૂકવ્યા.
તો HDFCને સરકારે 1124 કરોડ રૂપિયા આપ્યા જેની સામે HDFCએ ખેડૂતોને માત્ર 690 કરોડ રૂપિયા ચુકવ્યા છે. જ્યારે ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીને સરકારે 1600 કરોડ રૂપિયા ચુકવ્યા જેની સામે કંપનીએ ખેડૂતોને માત્ર 356 કરોડની જ ચૂકવણી કરી છે.
આવી રીતે ઈફ્કો ટોકિયોને સરકારે 50 કરોડ ચૂકવ્યા જ્યારે કંપનીએ તો ખેડૂતોને માત્ર 10 કરોડ જ ચૂકવ્યા છે. છેતરપિંડી કરવામાં SBI પણ બાકાત નથી. SBIને સરકારે 425 કરોડ ચૂકવ્યા જેની સામે SBIએ ખેડૂતોને 176 કરોડ રૂપિયાની જ ચૂકવણી કરી. આ ઉપરાંત યુનાઈટેડ ઈન્સ્યોરન્સને પણ સરકારે 30 કરોડની ચૂકવણી કરી જેની સામે કંપનીએ ખેડૂતોને 32 કરોડની ચૂકવણી કર્યાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે વિધાનસભામાં જ પ્રશ્નતરી દરમિયાન મહત્વની વિગતો સામે આવી છે. વીમા કંપનીઓ ખેડૂતોને છેતરી રહી હોવાનો આધારપુરાવો સામે આવ્યો છે.