ભારતના ભાગેડુ વિજય માલ્યાને બ્રિટનની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. બ્રિટનની કોર્ટે વિજય માલ્યાને દેવાળિયો જાહેર કર્યો છે. બેન્કો હવે માલ્યાની સંપત્તિ જપ્ત કરી શકશે.
વિજય માલ્યાને લંડનની હાઈકોર્ટે આજે દેવાળિયો જાહેર કર્યો
બ્રિટનની કોર્ટે દેવાળિયો જાહેર કર્યો હોય તેવી પહેલી ઘટના
SBIની આગેવાનીમાં ભારતીય બેન્કોના ગ્રુપે આ કેસમાં જીત મેળવી
બેન્કો હવે માલ્યાની સંપત્તિ જપ્ત કરી શકશે
બ્રિટનની કોર્ટ દ્વારા માલ્યાને નાદાર જાહેર કરવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. માલ્યા પરના બ્રિટનની કોર્ટના ચુકાદા બાદ હવે એસબીઆઈ આગેવાનીમાં બેન્કોનો સમૂહ માલ્યાની સંપત્તિ જપ્ત કરી શકશે. બેન્કો માટે એક મોટી અડચણ દૂર થઈ છે.
લંડનની હાઈકોર્ટે આ ચૂકાદો આપતા હવે માલ્યાની મિલકતોને જપ્ત કરવાનો માર્ગ મોકળો થયો
માલ્યા પાસે હજુ પણ અપીલ માટે તક
આ અરજીમાં માલ્યાની કિંગફિશર એરલાઈન્સને આપવામાં આવેલ લોનની વસુલાત માટે નાદાર જાહેર કરવા માગ કરવામાં આવી હતી. માલ્યા પાસે લંડન હાઈકોર્ટે આપેલા ચૂકાદા સામે અપીલ કરવાની હજુ પણ એક તક બાકી છે. આ સાથે એવું માનવામાં આવે છે કે માલ્યાના વકીલ ટૂંક સમયમાં આ ચુકાદાને પડકારી શકે છે.
માલ્યાના શેરોથી બેન્કોને મળ્યા રૂપિયા 792.12 કરોડ
વિજય માલ્યાને ધિરાણ આપનારી બેન્કોએ તેના શેરના વેચાણ મારફતે રૂપિયા 792.12 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠળની બેન્કોના કન્સોર્ટીયમ તરફથી ડેટ રિકવરી ટ્રાઈબ્યુનલે માલ્યાના શેરોનું વેચાણ કર્યું હતું. મની લોન્ડ્રીંગ સંબંધિ એક કેસમાં ED એ આ શેરો જપ્ત કર્યાં હતા. તેણે શેરોનું વેચાણ કરવા માટે પરવાનગી આપી હતી.
વિદેશ સચિવે માલ્યાના પ્રત્યર્પણ અંગે શનિવારે ખાતરી આપી હતી
વિજય માલ્યા મુદ્દે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ શનિવારે કહ્યું હતું કે માલ્યા સામે ભારતે એક મજબૂત કેસ તૈયાર કર્યો છે અને બ્રિટનના અધિકારીઓએ તેના પ્રત્યર્પણ અંગે ખાતરી આપી છે.વિદેશ સચિવે વિજય માલ્યાના પ્રત્યર્પણમાં થતા વિલંબ અંગે કહ્યું હતું કે અમને કહેવામાં આવ્યું છે કે આ અંગેની પ્રક્રિયા ચાલી રહી છે અને બ્રિટન પક્ષ માલ્યાના પ્રત્યર્પણ અંગે કાર્ય કરી રહ્યું છે.