નિષ્ણાંતોએ કહ્યું કે, અમદાવાદની સિવિલમાં 6 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે.છેલ્લા 37 દિવસમાં 12 વર્ષ સુધીના બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
વેક્સિન ન લેનારા માતા-પિતા ચેતો
બાળકો થઈ રહ્યા છે સંક્રમિત
સિવિલના સુપરિટેન્ડેન્ટનું નિવેદન
37 દિવસમાં 12 વર્ષ સુધીના બાળકો ઝપેટમાં
વેક્સિન ન લેનારા માતા-પિતા માટે ચેતવણી
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે..રાજ્યમાં એક દિવસમાં કોરોનાના 24 હજારથી વધારે કેસ નોંધાયા છે...રાજ્યમાં કોરાનાના સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે જે 10,000ની નજીક પહોંચી ગયા છે. ટેસ્ટિંગ ડોમ પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે તો બીજી તરફ સૌથી વધુ બાળકો પર ખતરો મંડારાઇ રહ્યો છે. બાળકોમાં પણ પોઝિટીવીટી રેટ મોટા પ્રમાણમાં દેખાઈ રહ્યો છે. જે વેક્સિન ન લેનારા માતા-પિતા માટે ચેતવણી આપી રહ્યો છે.
બાળકોના માતા-પિતાએ વેક્સિન ન લીધી હોવાનો થયો ખુલાસો
સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર માતા-પિતાથી બાળકો વધુ પ્રમાણમાં સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદની સિવિલમાં 6 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. 37 દિવસમાં 12 વર્ષ સુધીના બાળકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમના પર સૌથી વધુ ખતરો છે કારણ કે આ બાળકોને વેક્સિન અપાઈ નથી જેથી કોરોના તીવ્ર ગતિએ ઝપેટામાં લઈ રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે ઉપરોક્ત જે પણ બાળકો સિવિલમાં એડમિડ કરાયા છે તેમાંથી મોટાભાગના બાળકોના માતા પિતાએ વેક્સિનનો એક પણ ડોઝ લીધેલો નથી એટલે તે ખુદ સંક્રમિત થઈ રહ્યા છે સાથે જ પોતાના બાળકોને પણ સંક્રમિત કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
તરુણોને વેક્સિન આપવાની કામગીરી પુરજોષમાં
સમગ્ર દેશમાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે.ત્યારે અમદાવાદમાં પણ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તરૂણોને વેક્સિન આપવાની કામગીરી પૂર જોશમાં શરૂ કરાઈ છે..અમદાવાદમાં 2 લાખ 67 હજાર વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે...જેની સામે અત્યાર સુધીમાં કુલ 1 લાખ 90 હજારથી વધુ વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની કામગીરી પૂર્ણ કરાઈ છે.AMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરની 700 શાળાઓમાં જઇને 15 થી 17 વર્ષની ઉંમરના 90 ટકાથી વધુ વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી છે.તો આ મામલે આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે શાળામાં ન જતા અને બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.