સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીની આત્મહત્યાનો મામલો પોલીસને જાણ કર્યા વગર અંતિમ વિધિ કરાવી હોવાથી ઉઠ્યા સવાલો
ગુણાતીત સ્વામીની આત્મહત્યાનો મામલો
પોલીસને જાણ કર્યા વગર અંતિમ વિધિ કરાઇ
પોલીસે અપનાવ્યું કડક વલણ
કેટલાક સંતોની કોલ ડિટેઈલ અને લોકેશન પર પોલીસે વોચ ગોઠવી
સોખડાના સ્વામીનારાયણ મંદિરના ગુણાતીત સ્વામીના મોતને જાહેર નહીં કરવાના અંગે પોલીસે પૂછેલા પ્રશ્નોમાં પૈકી સંતો આપેલા કેટલાક જવાબો ગળે ઉતરે તેવા નથી. મહત્વનું છે કે, મંદિરના સંતો અને સેક્રેટરીએ મોતને છૂપાવવા પાછળનું એવું કારણ જણાવ્યું હતું કે, સાધુ સંતો સમાજથી અલિપ્ત રહેતા હોઇ તેઓને કાયદાની જાણકારી નહતી.
પોલીસ આ મામલે ટેક્નિકલ સોર્સનો ઉપયોગ કરશે
ત્યારે પોલીસને જાણ કર્યા વગર અંતિમ વિધિ કરાવાયાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જેમાં પોલીસની ગેરહાજરીમાં યોગી આશ્રમના રૂમ નંબર-21 માં સંતોની અવર-જવર કેમ કરવામાં આવી હતી. રૂમ નંબર-21 માં મૃતદેહ શું કામ મુકાયો ? હાલ પોલીસે આ સવાલોના જવાબ શોધવાની કવાયત શરૂ કરી છે
પોલીસે કેટલાક સંતોની કોલ ડિટેઈલ અને લોકેશન પર પોલીસે વોચ ગોઠવી
પોલીસ દ્વારા ગુણાતીત સ્વામીના મોબાઇલ ફોનની કોલ ડિટેલ ઉપરાંત તેમના નિકટના અન્ય સ્વામી અને હરિભક્તોના મોબાઇલ ફોનની ડિટેલ મેળવવામાં આવશે. ત્યારબાદ જ બુધવારની સાંજ પછી કોની સાથે વાતચીત થઇ હતી? તેઓનું લોકેશન ક્યાં હતું? તેની વિગતો જાણી શકાશે. તેમજ ગુણાતીત સ્વામીનો મોબાઈલ તપાસ માટે FSLમાં મોકલાયો છે
ઘટના શું હતી ?
સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગત બુધવાર મોડીરાત્રે ગુણાતીત સ્વામીનું નિધન થયું છે. જેને લઈને હરિભક્તોમાં ભારે આઘાત લાગ્યો છે. જો કે, ગુણાતીત સ્વામીનું મૃત્યુ ક્યા કારણોસર થયું તે અંગેની અનેક તર્ક-વિતર્ક ચાલી રહી છે. જેની વચ્ચે વડોદરા FSLની ટીમે યોગી આશ્રમના રૂમ નંબરમાં સવા કલાક સુધી તપાસ હાથ ધરી હતી. જેમાં ગળે ફાંસો કેવી રીતે ખાધો? ગળે ફાંસો ખાવા માટે કઇ વસ્તુનો કરાયો ઉપયોગ? રૂમમાં લોહીના નમૂનાની હાજરી છે કે નહીં?ની તપાસ હાથ ધરી હતી.