બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big update on new date for binsachivalay exam

મોટા સમાચાર / બિનસચિવાલયની નવી તારીખને લઈને મોટા અપડૅટ, પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારોએ જાણી લેવું જરૂરી

Ronak

Last Updated: 12:02 PM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિન સચિવાલયની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમા અગામી 15 દિવસમાં પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે અને બે મહિનામાં આ પરીક્ષા પૂર્ણ કરી દેવામાં આવશે.

  • બિનસચિવાલયની પરીક્ષાને લઈ મોટા સમાચાર 
  • અગામી 15 દિવસમાં પરીક્ષાની નવી તારીખ જાહેર થશે 
  • બે મહિનામાં પરિક્ષા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે 

ગતરોજ બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસટન્ટની પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. જોકે હવે પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમા  અગામી 15 દિવસમાં બિન સચિવાલયની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. સાથેજ એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે, કે બે મહિનામાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. 

ઉમેદવારોમાં રોષનો માહોલ 

પરીક્ષા વારંવાર રદ થવાને કારણે હવે ઉમેદવારો કંટાળ્યા છે. જેમા ખાસ કરીને રાજકોટના ઉમેદવારોમાં રોષનો માહોલ જોવા મલી રહ્યો છે. વીટીવી દ્વારા ઉમેદવારો સાથે વાત કરવામાં આવી હતી. જેમા  ઉમેદવારો રોષે ભરાયેલા જોવા મળ્યા સાથેજ ઉમેદવારો હવે ચિંતામાં મુકાઈ ગયા છે. સાથેજ તેઓ આંદોલનના મૂડમાં આવી ગયા છે. 

13 ફેબ્રુઆરીએ યોજાવાની હતી પરિક્ષા 

આપને જણાવી દઈએ કે રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મૌકૂફ રાખવાનો ગૌણ સેવા પંસદગી મંડળે નિર્ણય લીધો છે.3 વર્ષ પરિક્ષાનું આયોજન કરાયુ હતુ. ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા મૌકૂફીની જાહેરાત કરી છે. વહીવટી કારણોસર પરીક્ષા મૌકૂફ રાખવાનો લેવાયો નિર્ણય. 13 ફેબ્રુઆરીએ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી. 

વહીવટી કારણ ઘર્યુ પણ પડદા પાછળનું કારણ ગોપનીય રહેશે: યુવરાજસિંહ જાડેજા

સમગ્ર મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે આ 3 વર્ષમાં ચોથી ઘટના છે. વિદ્યાર્થીઑ માટે પરીક્ષા રદ્દ થવી કે મોકૂફ રાખવામાં આવી હોય તે સામાન્ય બાબત થઈ ગઈ છે. સરકારે 2018માં જાહેર કરેલી ભરતી વિવિધ કારણસર 4 વખત મોકૂફ રાખી છે. હાલ તો વહીવટી કારણોનું બહાનું આગળ ધરી આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવુ ગૌણ સેવા મંડળ કહી રહ્યું છે. પણ પડદા પાછળની હકીકત કઈક અલગ જ છે તેવુ યુવરાજસિંહનું માનવું છે. તેમણે વધુમાં કહ્યું કે 4 દિવસ બાદ પરીક્ષા યોજાવવાની હતી. તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ હતી. જિલ્લા ક્લેક્ટરથી લઈ પોલીસ કાફલા સુધી વ્યવસ્થા માટેના આદેશ આપી દેવામાં આવ્યા હતા. તેમ છતાં પરીક્ષા રદ્દ થવી તેના પાછળ કોઈ મોટું જ કારણ હોઈ શકે. આવા વારંવાર નિર્ણયથી વિદ્યાથી પર માનસિક ત્રાસ વધી રહ્યો છે. પરીક્ષા મોકૂફ કેમ રખાઇ એ તપાસનો વિષય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Date binsachivalay exam new update પરીક્ષા તારીખ બિનસચિવાલય પરીક્ષા મોટા સમાચાર Binsachivalay exam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ