બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નાગરિક પૂરવઠા વિભાગની ભરતીને લઈ મોટું અપડેટ, પરીક્ષામાં ઓબ્જેક્શન સિસ્ટમ પર લેવાયો આ નિર્ણય

નિર્ણય / નાગરિક પૂરવઠા વિભાગની ભરતીને લઈ મોટું અપડેટ, પરીક્ષામાં ઓબ્જેક્શન સિસ્ટમ પર લેવાયો આ નિર્ણય

Last Updated: 05:02 PM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેપરમાં ભૂલ અને રૂપિયા ભરી વાંધા અરજી બાબતે GPSC ચેરમન હસમુખ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં નવી આન્સર કી મુકવાનો નિર્ણય કરાયો હોવાનું જણાવ્યું હતું.

તાજેતરમાં નાગરિક પૂરવઠાની ભરતી પરીક્ષાની આન્સર કી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી. જેમાં ભૂલો જોવા મળી હતી. ત્યારે આ કિસ્સામાં જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે નાગરિક પૂરવઠાની ભરતી પરીક્ષાની આન્સર કીમાં ભૂલો જણાઇ આવી હતી. ત્યારે આને લઇ આસિસ્ટન્ટ મેનેજરની ભરતી સંદર્ભે ઓબ્જેક્શન સિસ્ટમ હાલ હોલ્ડ પર મુકાઈ છે.

તજજ્ઞોનો ઉપયોગ ન કરવાનો નિર્ણય

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પરીક્ષામાં ઓબ્જેક્શન સિસ્ટમ હાલ લાગુ કરવામાં આવશે નહીં. જોકે તજજ્ઞો પર આધાર રાખવાના કારણે આ ભૂલ સામે આવી છે તેથી તજજ્ઞોનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ ઉપરાંત ટૂંક સમયમાં વેબસાઇટ પર નવી આન્સર કી મુકી દેવામાં આવનાર છે. હાલમાં તજજ્ઞોને સમય આપ્યો છે જેમાં ખરાઈ કરીને ઝડપથી નવી આન્સર કી મુકવામાં આવશે.

આ પણ વાંચોઃ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર આપે છે 20 હજાર, આ લોકોને મળે છે સહાય

જોકે વાંધા અરજી માટેની ફી બાબતે કરાયેલ નિર્ણય યથાવત જ રખાયો છે. જેમાં જેન્યુઈન વિદ્યાર્થીઓને નુકશાન ન જાય તે માટે આ નિર્ણય કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GPSC News Hasmukh Patel GPSC Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ