બુધવારે અટકાયત કરાયેલા મહમદરમીઝ સેતા, મહંમદહુસેન ચૌહાણ, મતીન મોદનને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં આ ત્રણેય આરોપીઓનાં 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસમાં અપડેટ
ત્રણ આરોપીઓ 7 દિવસના રિમાન્ડ પર
અમદાવાદ કોર્ટે 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગુજરાત ભરમાં ચકચાર જગાવનારા ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં ATSએ વીજળીક રીતે ધરપકડનો દોર શરુ કરી, 10 જેટલા શખ્સોને 'અંદર'કરી દીધા છે. બુધવારે અટકાયત કરાયેલા મહમદરમીઝ સેતા, મહંમદહુસેન ચૌહાણ, મતીન મોદનને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં આ ત્રણેય આરોપીઓનાં 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. અમદાવાદ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ATSની તપાસમાં TFIના બે એકાઉન્ટ હોવાનું સામે
ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ મામલે રોજબરોજ નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. મૌલાના કમરગની ઉસમાની અને મૌલાના ઐયુબની પૂછપરછમાં નવી વાતો સામે આવી રહી છે. હાલ આ મામલે ATSની ટીમ તપાસ હાથ ધરી છે. ત્યારે જાણવા મળ્યુ છે કે કમરગનીએ જે TFI નામનું સંગઠન બનાવ્યુ હતું તેનું લખનઉથી રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. દેશભરમાં સંગઠન દ્વારા સભ્યો બનાવીને રોજનો એક રુપિયો દાનમાં લેવાય છે. ATSની તપાસમાં TFIના બે એકાઉન્ટ હોવાનું સામે આવ્યુ છે. જો કે આ મામલે કમરગનીની બેવડી નીતિ સામે આવી રહી છે. કમરગનીનું કહેવુ છે કે તેણે કાયદેસર લડવાની સલાહ આપવા માટે તેણે સંગઠન ઉભુ કર્યુ હોવાનું રટણ કરી રહ્યો છે.
પાકિસ્તાન કનેક્શન નહી- ATS
ATSએ સમગ્ર મામલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુ હતુ કે દાવત એ ઇસ્લામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે... દાવત એ ઇસ્લામી અને ફંડીગ મામલે પોલીસ પૂછપરછ કરી રહી છે. તો એટીએસએ ઝડપાયેલા નવા 3 આરોપીઓએ હત્યા મામલે આરોપીઓને રહેવાનુ જમવાનુ તથા પૈસા અને સંતાવવા માટે જગ્યા પણ શોધી આપી હતી. જેમાં એક પોરબંદરનો હુસૈન ખતરી, મતીન અને અન્ય એક આરોપીનો સમાવેશ થાય છે. તો સમગ્ર મામલે ATSએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે સમગ્ર મામલે પાકિસ્તાનનું કોઇ કનેક્શન નથી.