કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નારાજ થયા હતા. ઉમેદવારની પસંદગીના મુદ્દે વિવાદ થતા રાજીનામાની ચીમકી આપી દીધી છે. બહેરામપુરા વોર્ડમાં ઉમેદવાર પસંદગીને લઈને નારાજગી દર્શાવવામાં આવી રહી છે. અમિત ચાવડાએ ખેડાવાલાને આશ્વાસન આપ્યુ હતુ. કોંગ્રેસે બહેરામપુરામાં 6 ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા.
ખેડાવાલાએ કહ્યું હતું કે પહેલાં મને 4 ઉમેદવારોને મેન્ડેટ આપ્યું હતું તો વધારાના 2 ઉમેદવારોને મેન્ડેટ કેમ આપવામાં આવ્યાં તેનાથી હું નારાજ છું.
ઈમરાન ખેડાવાલાની પસંદગી મુજબના ઉમેદવારોને ટિકિટ અપાઈ નહતી જેને પગલે અમિત ચાવડાએ મુદ્દાનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. પરંતુ આ પહેલાં જ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજીનામું ધરી દીધું હતું.