મંદિરમાં પગથિયાંની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો પગથિયાંથી ઢંકાયેલા કૂવામાં પડી ગયા હોવાનું સામે આવ્યું. 12 લોકોનું મોત થયું છે.
રામનવમીના દિવસે ઈન્દોરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર
શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધરાશાયી
25થી વધુ લોકો પગથિયાંથી ઢંકાયેલા કૂવામાં પડી ગયા
13 લોકોનું કરુણ મોત થયું છે
રામનવમીના દિવસે ઈન્દોર થી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે એક, ઈન્દોરના સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો પગથિયાંથી ઢંકાયેલા કૂવામાં પડી ગયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે તંત્ર દ્વારા તમામને બચાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આ તરફ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે રામનવમી પર ઈન્દોરના મંદિરમાં થયેલા અકસ્માત અંગે વાત કરી છે. પીએમ મોદીએ તેમની પાસેથી વર્તમાન સ્થિતિ વિશે માહિતી લીધી હતી.
Stepwell collapse at Indore temple | MP: An ex-gratia amount of Rs 5 lakhs to be given to next of kin of deceased while Rs 50,000 will be given to the injured: MP CM SS Chouhan pic.twitter.com/tbHUd1LluZ
CM શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે રાજ્ય સરકાર મૃતકોનાં પરિવારને 5 લાખ જ્યારે ઘાયલોને 50000 રૂપિયાનું વળતર આપવાનું એલાન કર્યું છે.
13 લોકોનું થયું મોત
મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે ઈન્દોર દુર્ઘટનામાં 13 લોકોનું મોત થયું છે. મૃતકોનાં પરિવારને 4-4 લાખનું વળતર આપવામાં આવશે.મધ્યપ્રદેશના ઈન્દોર સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં મોટી દુર્ઘટના સામે આવી છે. કૂવા નજીકનાઅ પગથિયાં ધરાશાઈ થતાં 25થી 50 લોકો ત્યાં કૂવામાં પડ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ કૂવામાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અકસ્માત બાદ પણ લાંબા સમય સુધી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને 108ની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ન હતી. માહિતી અનુસાર આશરે 13 લોકોનું આ દુર્ઘટનામાં મોત થયું છે.
Madhya Pradesh | Many feared being trapped after a stepwell at a temple collapsed in Patel Nagar area in Indore.
મહત્વનું છે કે, કેટલાક લોકોને કોઈક રીતે બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. ઘટના બાદ જે લોકો પડી ગયા હતા તેમના સંબંધીઓ અસ્વસ્થ છે. અત્યાર સુધીમાં પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર વહીવટી સ્ટાફ અને વરિષ્ઠ અધિકારીઓ પણ પહોંચી રહ્યા છે. આ સાથે પોલીસે રાહત કાર્ય શરૂ કરી દીધું છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જેઓ કૂવામાં પડ્યા છે તેમની શું હાલત છે. તેમને દોરડા વડે બહાર કાઢવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
શું કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, તેઓ ઈન્દોરની ઘટનાથી ખૂબ જ દુઃખી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે વાત કરી અને સ્થિતિ વિશે પૂછપરછ કરી. રાજ્ય સરકાર બચાવ અને રાહત કાર્યમાં ઝડપથી આગળ વધી રહી છે. મારી પ્રાર્થના તમામ અસરગ્રસ્તો અને તેમના પરિવારો સાથે છે.
Extremely pained by the mishap in Indore. Spoke to CM @ChouhanShivraj Ji and took an update on the situation. The State Government is spearheading rescue and relief work at a quick pace. My prayers with all those affected and their families.
શું કહ્યું શિવરાજસિંહ ચૌહાણે ?
અકસ્માત અંગે સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, અમે બધા પુરી તાકાતથી બચાવ કાર્યમાં લાગેલા છીએ. હું સતત સંપર્કમાં છું. અત્યાર સુધીમાં 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, હજુ 10 વધુ લોકો અંદર છે. અમે વધુ સારા સંસાધનોનો ઉપયોગ કર્યો છે, સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
इंदौर के पटेल नगर में हुई दुर्घटना अत्यंत दुर्भाग्यपूर्ण है। भगवान की कृपा से कोई जनहानि नहीं हुई है। मैं स्थानीय प्रशासन के सतत् संपर्क में हूँ। 10 लोगों को सुरक्षित बाहर निकाला जा चुका है, 9 और लोग अंदर सुरक्षित हैं। हम अपनी पूरी ताकत से रेस्क्यू ऑपरेशन में जुटे हुए हैं।: सीएम pic.twitter.com/RWi1sO1VWX