SUDAની હદમાં આવતી અનેક જમીનોના પ્રકરણમાં કે.રાજેશનું નામ સામે આવ્યું હતુ, રફીક મેમણ વચેટિયાની ભૂમિકા અદા કરતો હોવાનો આરોપ
કે.રાજેશને ત્યાં દરોડા મુદ્દે સફળતા
કે.રાજેશનો અંગત વિશ્વાસુ ઝડપાયો
રફીક મેમણ નામના શખ્સની ધરપકડ
ગુજરાતના IAS અધિકારી કે. રાજેશ વિરુદ્ધ CBIએ કાર્યવાહી કરી છે. CBIએ મોડી રાતથી કે.રાજેશના નિવાસ સ્થાને કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ સુરત, સુરેન્દ્રનગર સહિતના નિવાસ સ્થાને પણ કાર્યવાહી કરી છે. CBIએ IAS કે.રાજેશ સામે દિલ્લીમાં ફરિયાદ નોંધી છે. IAS સામે બંદૂકના લાયસન્સ લેવાની મંજૂરી માટે લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો પણ આરોપ છે. ઉલ્લેખનીય છે કે, IAS અધિકારી કે. રાજેશ સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણી વિવાદમાં પણ ફસાયા છે.દરોડા દરમિયાન મોટા પાયે ગેરકાયદેસર વ્યવહાર મળ્યા છે તેવી માહિતી ખાસ સૂત્રો દ્વારા મળી રહી છે.
કે.રાજેશનો વહીવટદાર ઝડપાયો
IAS અધિકારી કે.રાજેશને ત્યાં દરોડા મુદ્દે CBIને મોટી કડી હાથ લાગી છે. કે.રાજેશના અંગત વ્યકિત રફીક મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે. પકડાયેલ ઈસમ વચેટિયાની ભૂમિકા અદા કરતો હોવાનો આરોપ હતો. કે.રાજેશનો વિશ્વાસુ વ્યકિતની ઝડપાતા મોટા પાયે ખોટા વ્યવહારોની બહાર આવી શકે તેવુ લાગી રહ્યું છે.
કોણ છે IAS કે.રાજેશ?
કે.રાજેશ 2011 બેંચના IAS અધિકારી છે. હાલ સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેમને સાઈડ પોસ્ટ કરાયા હતા.
IAS કે.રાજેશ કેન્દ્રીય એજન્સીની રડાર પર કેમ?
કે.રાજેશ સુરતમાં DDO હતા ત્યારે પણ હતા સતત વિવાદમાં
કે.રાજેશની સામે જે તે સમયે સત્તાના દુરુપયોગની થઇ હતી ફરિયાદ
કે.રાજેશે નિયમોની ઉપરવટ જઇને જિલ્લા પંચાયતમાં ખરીદ સમિતિ બનાવી હતી
કે.રાજેશે રોગી કલ્યાણ સમિતિની ગ્રાંટ સોલાર રૂફટોપમાં વાપરી હતી
SUDAની હદમાં આવતી અનેક જમીનોના પ્રકરણમાં કે.રાજેશનું નામ સામે આવ્યું હતુ
કે.રાજેશ DDO હતા ત્યારે તેમની વિરુદ્ધ જે તે મુખ્યમંત્રીને થઇ હતી ફરિયાદ
કે.રાજેશ વિરુદ્ધની ફરિયાદોની તકેદારી આયોગ,વિકાસ કમિશનરે પણ તપાસ કરી હતી
કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન જમીન સોદામાં ભ્રષ્ટાચારનો આરોપ
હથિયારના લાયસન્સ આપવામાં નાણાની વસૂલાતના આરોપ
વચેટીયાઓ મારફત જંગી પ્રમાણમાં લાંચ મેળવી હોવાની ચર્ચા
ગાંધીનગર,સુરત, સુરેન્દ્રનગરના નિવાસસ્થાને રેડ
CBI એ IAS કે.રાજેશ સામે ભ્રષ્ટાચારનો કેસ કરીદિલ્હીમાં ફરિયાદ નોંધી છે. ગાંધીનગર નિવાસસ્થાને મોડી રાતથી CBIની કાર્યવાહી ચાલુ છે. IAS સામે બંદૂકના લાયસન્સ લેવાની મંજૂરી માટે લાંચ માંગી હોવાનો આક્ષેપ છે સાથે જ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો અધિકારી સામે આરોપ થઈ રહ્યા છે. આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણી અંગેના વિવાદમાં કે.રાજેશ રહી ચૂક્યા છે હાલમાં ગાંધીનગર,સુરત, સુરેન્દ્રનગર સહિતના નિવાસસ્થાને CBIની કાર્યવાહી થઈ રહી છે.