અમદાવાદ: ગુજરાતમાં મહિલાઓ સબ સલામતના દાવા પોકળ સાબિત થયા છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ગુજરાતમાં પાંચ વર્ષમાં મહિલાઓ પર બળાત્કારના 4 હજાર 363 કેસ નોધાયા છે.
જેમાં 50 ટકાથી વધુ સગીરા પરના બળાત્કારના કેસ છે. ઉપરાંત 1 હજાર 407 મહિલાની હત્યા સગીરાના અપહરણના 10 હજાર 404 કેસ નોંધાયા છે. આ બનાવ પૈકી 6 હજાર 714 કેસમાં પોસ્કો દાખલ કરાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આ આંકડો ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કર્યો છે.
સરકારના કહેવા મુજબ બળાત્કારના 6 હજાર 333 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મેટ્રો સીટી અમદાવાદમાં મહિલાઓ પરના અત્યાચારના બનાવોમાં સમગ્ર રાજ્યમાં મોખરે છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 5 વર્ષ દરમિયાન બળાત્કારના 621 કેસ મહિલાઓની હત્યાના 121 કેસ અને સગીરાના અપહરણના 1 હજાર 361 કેસો નોંધાયા હતા. તો સુરતમાં 557 બળાત્કાર 66 હત્યા અને 987 અપહરણના કેસ નોંધાયા હતા.
જો હીટ એન્ડ રનની વાત કરવામાં આવે તો પાંચ વર્ષ દરમિયાન 8 હજાર 572 કેસ નોંધાયા હતા. જેમાં 6 હજાર 541 લોકોનાં મોત નીપજ્યા હતા. અમદાવાદમાં 560 અને ગ્રામ્યમાં 332 કેસ નોંધાયા હતા.