બહેન દીકરીઓની છેડતી કરી તો પોલીસ ગોળી મારી દેશે: યોગી
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. શુક્રવારે કાનપુર પહોંચેલા યોગી આદિત્યનાથે વીએસએસડી કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રબુદ્ધ પરિષદને સંબોધિત કરી હતી. સીએમ યોગીએ ખુલ્લા મંચ પરથી બદમાશોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, પહેલાં આવા તોફાની તત્વો હતા ક, જેઓ એક ચોક પર બહેન-દીકરીને ચીડવતા અને બીજા ચોક પર લૂંટ ચલાવતા. આજે તેઓ આ કરી શકશે નહીં. જો તેઓ કરશે તો આગળના ચોક પર પોલીસ તેમને ગોળી મારી દેશે. આજે દરેક ચોક સીસીટીવી કેમેરાથી સજ્જ છે. તેઓ બીજા ચોક પર પહોંચે તે પહેલાં જ પકડાઈ જશે." સીએમએ નાગરિક ચૂંટણી પહેલા કાનપુરમાં રૂ. 387.59 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું.
ઉતર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે, કાનપુરે તેના ઉદ્યોગ માટે એક ઓળખ બનાવી. કેટલાક લોકોએ કાનપુર પર નજર રાખી અને આ શહેર ગેરવહીવટનો શિકાર બન્યું. કાનપુરની ઓળખ મોક્ષ દયાની તરીકે થઈ. ગટરને સેલ્ફી પોઈન્ટમાં ફેરવી દેવામાં આવી. કાનપુર નમામિ ગંગે પ્રોજેક્ટનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો હતો. આજે હું કહી શકું છું કે, કાનપુરમાં થયેલા પ્રયોગ પછી પ્રયાગરાજમાં પણ ગંગા પસાર થઈ ગઈ છે. કાનપુરમાં મેટ્રોની શરૂઆત પીએમ મોદીએ કરી હતી. પીએમ મોદી ટૂંક સમયમાં મેટ્રોનો બીજો અને ત્રીજો તબક્કાનું લોકાર્પણ કરવા આવશે.
नए उत्तर प्रदेश का हर जनपद समग्र विकास के आलोक से आलोकित हो रहा है...
उसी शृंखला में आज जनपद कानपुर में आयोजित 'प्रबुद्धजन सम्मेलन' एवं ₹388 करोड़ की 272 विकास परियोजनाओं के लोकार्पण/शिलान्यास कार्यक्रम में... https://t.co/tltDzOC5kM
આ સાથે સીએમ યોગીએ કાનપુરમાં 388 કરોડ રૂપિયાના 272 વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. જેમાં 213.47 કરોડના 122 કામોનો શિલાન્યાસ અને 174.12 કરોડના 150 વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ મંચ પરથી રિમોટથી બટન દબાવતાની સાથે જ આ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.