એનસીપી નેતા નવાબ મલીકે હવે ગુજરાત ડ્રગ્સ કેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે ભાજપ નેતા પર ગંભીર આક્ષેપો કર્યો છે. જેના કારણે રાજકારણ ગરમાયું છે. સાથેજ દ્વારકામાં જે ડ્રગ્સ પકડાયું તેમા યોગ્ય તપાસ કરવા તેમણે માગ કરી છે.
એનસીપી નેતા નવાબ મલીકે આપ્યું મોટું નિવેદન
ગુજરાત ડ્રગ્સ કેસ મામલે આપ્યું મોટું નિવેદન
સમગ્ર મામલે ભાજપ મંત્રી પર કર્યા ગંભીર આક્ષેપો
છેલ્લા કેટલાક સમયથી એનસીપી નેતા નવાબ મલિક ડ્રગ્સ કેસને લઈને હોબાળો મચાવી રહ્યા છે. આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પણ તેમણે એનસીબી અધિકારી સમીર વાનખેડે પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારે હવે નવાબ મલિક ગુજરાતના ડ્રગ્સ કેસને ટાર્ગેટ કરી રહ્યા છે. જેમા ડ્રગ્સને લઈને તેમણે ગુજરાતની સુરક્ષા મુદ્દે સવાલો ઉઠાવ્યા છે.
મુંદ્રા અને દ્વારકામાં ડ્રગ્સ ઝડપાયું તેનો ઉલ્લેખ
સમગ્ર મામલે નવાબ મલિકે એવું નિવેદન આપ્યું કે ગુજરાતમાં મુંદ્રા બાદ દ્રારકાથી પણ ડ્રગ્સ ઝડપાયું છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ભાનુશાળી, ગોસાવી અને સુનિલ પાટીલ પણ અમદાવાદ અવરજવાર કરે છે. જેમા તેઓ અમદાવાદની નોવોટેલ તેમજ ફાઈવ સ્ટાર હોટલોમાં રોકાય છે. જેને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા છે.
ભાજપ મંત્રી સામે ગંભીર આક્ષેપો
વધુમાં નવાબ મલીકે એવુ પણ કહ્યું છે કે ગુજરાતના એક મંત્રી સાથે ગોસાવીના તેમજ ભાનુશાળીના સંબંધો છે. જેમા નામ સાથે પણ તેમણે મંત્રી કિરીટસિંહ રાણા સાથે ગોસાવી અને ભાનુશાળીના સંબંધો છે. તેવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. જેથી તેમના આ નિવેદનને લઈને રાજકારણમાં હવે ઘણો ગરમાવો આવ્યો છે.
દ્વારકા ડ્રગ્સ કેસમાં યોગ્ય તપાસની માગ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ડ્રગ્સ કેસમાં નવાબ મલિકે એવા સવાલો ઉઠાવ્યા કે શું આ ડ્રગ્સનો ખેલ ગુજરાતથી ચાલી રહ્યો છે કે શું. સાથેજ દ્વારકામાં જે મોટા પાયે ડ્રગ્સ પકડાયું છે તેની યોગ્ય દિશામાં તપાસ થાય તેવી માગ પણ નવાબ મલીકે કરી છે. જેથી હવે ગુજરાતનો ડ્રગ્સ કેસ પણ હવે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.