20 થી 30 માર્ચ દરમિયાન રાજકીય પ્રવેશની ખબર પડી જશે
હોળી બાદ રાજકીય પ્રવેશની ખબર પડશે - નરેશ પટેલ
રાજકીય પાર્ટીમાં જોડાવવા મુદ્દે આજે નરેશ પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મેં હજુ કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું સમાજને પૂછીને આ અંગેને કોઈ નિર્ણય લઈશ. તેમજ ભાજપના લોકો આવશે તો વિચારીશું. ભાજપના લોકો મને મળવા આવશે તેની મને ખબર નથી.રાજકારણમાં પ્રવેશ કરવો તે મોટો નિર્ણય છે. હું મારા સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છું. તેમજ અગામી હોળીના તહેવાર બાદ એટલે કે, 20 થી 30 માર્ચ દરમિયાન તેઓના રાજકીય પ્રવેશ અંગ ખબર પડશે.
દિલ્લીમાં કોંગ્રસના નેતા સાથે નરેશ પટેલને થઇ ચર્ચા-સુત્ર
મહત્વનું છે કે, નરેશ પટેલે તાજેતરમાં દિલ્હીની ઉડતી મુલાકાત લીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હોવાની પણ ચર્ચા છે. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવા માટેની પૂર્વભૂમિકા લગભગ તૈયાર હોય તેવું લાગી રહ્યું છે, જેથી હોળી પછી કઈંક નવા-જૂની થવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.
કોંગ્રેસમાં જોડાઇ તે પહેલા ભાજપમાં આમંત્રણનો દાવ ખેલશે
પાટીદારના અગ્રણીનેતા નરેશ પટેલને ભાજપના જોડાવવા અંગે ભાજપના નેતાઓએ કમર કસી છે. પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ આજે નરેશ પટેલને સત્તાવાર જોડાવાનું આમંત્રણ આપશે. આ સાથે સૌરાષ્ટ્રના મોટા નેતા અને પ્રદેશ નેતાઓ પણ નરેશ પટેલને મળવા જશે.
નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે - સૂત્રો
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે ખુલ્લો પત્ર લખી આમંત્રણ પાઠવી ગુજરાતના રાજકારણાં ભારે લચલ મચાવી દીધી હતી. જો કે, હાર્દિક પટેલના પત્ર બાદ નરેશ પટેલનું આ અંગે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ખોડલધામ ક્યારે રાજકીય પ્લેટફોર્મ નહીં બને, રાજકારણમાં પ્રવેશનો મારો અંગત નિર્ણય રહેશે તેમ જણાવ્યું હતું. ત્યારે હાલ સૂત્રોના જણાવ્યા અનુસાર નરેશ પટેલ ટૂંક સમયમાં જોડાઈ શકે છે.