રાજકોટમાં સી.આર પાટીલે નિવેદન આપતા અમરીશ ડેરને કોઈ આમંત્રણ આપ્યું નથી બલકે મારા નિવેદનને ટ્વિસ્ટ કરીને રજૂ કરવામાં આવ્યું છે,
રાજકોટના પ્રવાસે આવેલા સી.આર.પાટીલનું નિવેદન
વિજય રૂપાણી અમારા સ્ટાર પ્રચારકછે અને રહેશે : પાટીલ
મેં અમરીશ ડેરને કોઈ આમંત્રણ નથી આપ્યું : પાટીલ
સી.આર.પાટીલ હાલ રાજકોટની મુલાકાતે છે.. ત્યારે સી.આર પાટીલે નિવેદન આપતા કહ્યું કે અમરીશ ડેરને કોઈ આમંત્રણ આપ્યું નથી બલકે મારા નિવેદનને ટ્વિસ્ટ કરીને રજૂ કરવામાં આવ્યું છે, વધુમાં પાટીલે કહ્યું કે હવે કોઈ કોંગ્રેસીને પક્ષમાં લેવા તૈયાર નથી, અને કોઈને પણ પાર્ટીમાં નહીં લઈએ તેવું જણાવ્યું હતું.
પાટીલે નોનવેજની લારીઓ મુદ્દે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે લારીઓ હટાવવાનો કોઈ મતલમ નથી.. આવી કોઈ જોગવાઈ બંધારણમાં નથી...આ મામલે તંત્રને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. વધુમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસ પાછા ખેંચવા મુદ્દે પણ સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું હતું કે પાટીદાર આંદોલનમાં અગાઉ કેટલાક કેસો રદ કર્યા છે ત્યારે જે કેસ પરત નથી ખેંચાયા તે પણ પરત ખેંચાશે,પાટીલે 78 જેટલા કેસો પરત લેવાની કાર્યવાહી કરી રહી હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે સરકારે જ વાયદો કર્યો તેના પર અડગ છે તેવું ચોક્કસપણે પાલન થશે...
મેં અમરીશ ડેરને કોઈ આમંત્રણ નથી આપ્યું : પાટીલ
હાલ રાજકોટમાં હાલ જૂથવાદ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે જેને લઈને સી.આર પાટીલે જણાવ્યું કે અમારા સ્ટાર પ્રચારકમાં વિજય રૂપાણી છે અને રહેશે..મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ CM રૂપાણી અને MLA ગોવિંદ પટેલ વચ્ચે બોલાચાલી થઇ હતી. આ મામલે ભાજપ પ્રમુખ સી. આર. પાટીલનું નિવેદન આપ્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે કોઇપણ જગ્યાએ કોઇ જૂથવાદ નથી. જે પણ છે, તે વ્યક્તિગત મુદ્દા હશે. આ તમામ પ્રશ્નોને શોર્ટ આઉટ કરવામાં આવશે. કોઇપણ ટિપ્પણી કોઇની સામે ન કરે તેવી સૂચના આપી છે. ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના અમરીશ ડેરને ભાજપનું આંમત્રણ હોવાને લઈને પણ મુદ્દો ગરમાયો હતો..
વિજય રૂપાણી અમારા સ્ટાર પ્રચારકછે અને રહેશેટ : પાટીલ
મળતી માહિતી અનુસાર આજે 20 નવેમ્બરના રોજ યોજાનારા સ્નેહમિલનમાં જનસંઘથી ભાજપ સુધીના તમામ કાર્યકરો માટે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. જોકે આમંત્રણ પત્રિકામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નામ ન હોવાનું ચર્ચાયું છે. જેના કારણે આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણી બાદબાકી થતા આ વિવાદ સર્જાયો હતો. તો આ અગાઉ રાજકોટમાં 15 નવેમ્બરના ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં સાંસદ રામભાઈ મોકરિયા સહિતના મોટા નેતાના નામ જોવા નહીં મળતા વિવાદ થયો હતો.
તમામ કોર્પોરેટરોને બેઠકમાં હાજર રહેવાનું સુચન
ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઇમ્પીરિયલ હોટલ ખાતે ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે. અને હેમુ ગઢવી હોલમાં રાજકોટ ભાજપના હોદ્દેદારો સાથે બેઠક પણ કરશે તેમજ બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં પણ સી.આર.પાટીલ હાજરી આપશે. મહત્વનું છે કે હાલ ભાજપક દ્વારા તમામ જિલ્લાઓમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે રાજોકટ ભાજપમાં જૂથવાદ હોવાનું ખુલીને સામે આવી રહ્યું છે. જેની પ્રદેશ હાઇકમાન્ડ નોંધ લેવાઈ છે અને પ્રદેશ હાઇકમાન્ડ નારાજ હોવાનું પણ મનાઈ રહ્યું છે. ત્યારે આજે જૂથવાદ મુદ્દે હેમુ ગઢવી હોલમાં મહત્વની ચર્ચાઓ થઈ શકે છે, સ્થાનિક ભાજપમાં જૂથવાદને લઈને ચર્ચા હાથ ધરાઈ શકે છે. જૂથવાદ મુદ્દેની ચર્ચામાં ભાજપના કમલેશ મીરાણીએ કોર્પોરેટરોને બેઠકમાં હાજર રહેવાનું સુચન કર્યું છે.