પીએમ મોદીની સુરક્ષામાં આજે જે ચૂક થઈ તેને લઈને કોંગ્રેસ નેતા સુરજેવાલાએ મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે જે પી નડ્ડાને જવાબ આપતા કહ્યું કે ખુરશીઓ ખાલી હતી તેના કારણે રેલી રદ થઈ છે.
રણદીપ સિંહ સુરજેવાલે કર્યો મોટો દાવો
PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે કર્યો દાવો
કહ્યું ખુરશીઓ ખાલી હતી એટલે રેલી રદ થઈ
ભાજપ અધ્યક્ષને કોંગ્રેસ નેતાએ આપ્યો જવાબ
प्रिय नड्डा जी,
रैली रद्द होने का कारण ख़ाली कुर्सियाँ रहीं।
यक़ीन न हो तो, देख लीजिए 👇
और हाँ, बेतुकी बयानबाज़ी नहीं,
किसान विरोधी मानसिकता का सच स्वीकार कीजिए और आत्म मंथन कीजिए ।
પંજાબમાં પ્રદર્શનકારીઓના વિરોધને કારણે પીએમ મોદી પંજાબમાં રેલી કર્યા વગર પરત ફર્યા હતા. આ મુદ્દે આજે રાજકારણ બરાબરનું ગરમાયું છે. સમગ્ર મામલે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્ટવીટ કરીને એવું કહ્યું કે કોંગ્રેસે હારના ડરે પીએમ મોદીની રેલીને નિષ્ફળ બનાવી છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા હવે વળતો જવાબ આપવામાં આવ્યો છે.
વીડિયો સાથે ટ્વીટર પર ટ્વીટ કર્યું
કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ જેપી નડ્ડા પર પલટવાર કરતા તેમને જવાબ આપ્યો જેમા તેમણે ટ્વીટ કરીને રેલી સ્થળનો વીડિયો અપલોડ કર્યો અને દાવો કર્યો કે રેલી રદ થવાનું કારણ ખાલી ખુરશીઓ છે વિશ્વાસ ન થાય તો જોઈએ લો
પંજાબના લોકોએ આઈનો દેખાડ્યો: સુરજેવાલ
સમગ્ર મામલે રણદીપ સુરજેવાલે એવું પણ કહ્યું કે ખેડૂત વિરોધી માનસિકતાનું સત્ય સ્વીકારો અને આત્મમંથન કરો. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે પંજાબના લોકોએ રેલીથી દૂરી બનાવીને અહંકારી સત્તાને આઈનો દેખાડ્યો છે.
જે પી નડ્ડા ગુસ્સો કાબૂમાં રાખો: સુરજેવાલ
કોંગ્રેસ નેતા સુરજેવાલ દ્વારા બીજું પણ એક ટ્વીટ કરવામાં આવ્યું જેમા તેમણે કહ્યું કે પ્રિય નડ્ડાજી તમારો ગુસ્સો કાબૂમાં રાખો. સાથેજ તેમણે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાને અમુક યાદ રાખવા જેવી બાબતો પણ ધ્યાને દોરી જેમા તેમણે કહ્યું કે
પીએમ મોદીની રેલીમાં 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત હતા.
દરેક વ્યવસ્થા એસપીજી અને અન્ય એજન્સીઓ સાથે મળીને કરવામાં આવી હતી
હરિયાણા તેમજ રાજસ્થાનના ભાજપ કાર્યકારો માટે દરેક બસોનો રૂટ બનાવામાં આવ્યો હતો.