કોરોના મહામારીને લઈને નિષ્ણાંતોએ મોટું નિવેદન આપ્યું જેમા આઈએમએના પૂર્વ સચિવ ડૉક્ટર રવિ મલિકનું કહેવુ છે સંક્રમણ આગળ જતા વધશે. પરંતું તેની સામે લોકોની ઈમ્યુનીટી પણ વધી રહી છે.
ઓમિક્રોન વેરિએંટની લઈ નિષ્ણાંતોનું મોટું નિવેદન
મહામારીનો અંત ત્રણ થી ચાર લહેર પછી આવે તેવી શક્યતા
ઓમિક્રોન ડેલ્ટા કરતા ઓછો ઘાતક હોવાનું નિષ્ણાંતોનું નિવેદન
દેશમાં કોરોનાના કેસ હવે ફરીથી ઉથલો મારી રહ્યા છે. સાથેજ ધીરે ધીરે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. પરિસ્થિતી વણસી જતા અલગ અલગ રાજ્યોની સરકારોએ પ્રતિબંધ લગાવાના શરૂ કરી દીધા છે. ત્યારે આ પરિસ્થિતીમાં નિષ્ણાંતો દ્વારા મહત્વનું નિવેદન આપ્યું છે. જેના પરથી ત્રીજી લહેર કેવી રહેશે તેનો પણ અંદાજ આવી જશે.
સંક્રમણ આગળ જતા વધશે
આઈએમએના પૂર્વ સચિવ ડૉક્ટર રવિ મલિકનું કહેવુ છે કે સંક્રમણ રોકાશે નહી વધારે ફેલાતું જશે અમેરિકાએ ભારત કરતા પણ ઝડપી વેક્સિનેશન કર્યું તેમ છતા ત્યા સંક્રમણ ફેલાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 9 લાખ કેસ નોંધાયા છે બ્રિટેનમાં 1 લાખ 75 હજાર કેસ નોંધાયા છે. ભારતની વસ્તીને જોતા આ દેશોની વસ્તી ખુબજ ઓછા પ્રમાણ છે. તેમ છતા અહીયા સંક્રમણ ફેલાયું છે. જેથી ભારતમાં પણ આગળ જતા સંક્રમણની સંખ્યા વધવાની છે.
હાલ આપણે ત્રીજી લહેરની મધ્યમાં
ઉપરાંત તેમણે કહ્યું કે આવનારા 2 સપ્તાહમાં આપણાને ખ્યાલ આવશે કે પરિસ્થિતી કેવી હશે. હાલ આપણે ત્રીજી લહેરની મધ્યમાં છે અને આવીજ રીતે જો ફેબ્રુઆરી સુધી કેસ વધતા રહ્યા તો સંક્રમણનું પ્રમાણ ધાર્યા કરતા ઘણું વધારે હશે. રવિ મલિકના કહેવા પ્રમાણે ઓમિક્રોન ડેલ્ટા કરતા ઓછો ઘાતક છે. આ વખતે સંક્રમણ ફેફસા સુધી નથી પહોચી રહ્યું પરંતુ તેને હળવાશમાં ન લેવો જોઈએ સાવધાની પહેલા કરતા પણ વઘારે રાખવી જરૂરી છે.
વાયરસ આગળ જતા નવા વેરિએંટ ઉત્પન્ન કરશે
સાથેજ તેમણે કહ્યું કે વાયરસ જેમ જેમ ફેલાશે તેમ તેમ નવા વેરિએંટ પણ આવતા રહેશા .ફ્રાંસમાં જે આઈએચયૂ વેરિએંટ જોવા મળ્યો છે તેવીજ રીતે આગળ જતા નવા વેરિએંટ પણ ઉતપન્ન થઈ શકે છે. જેના પર નજર રાખવી પડશે અને વાયરસને અલગ અલગ રૂપ આપતા રોકવો પડશે. કારણકે તે જેટલા વેરિએંટ બદલશે તેટલોજ ઘાતક થતો રહેશે.
વધતા સંક્રમણ સામે લોકોની ઈમ્યુનીટી પણ વધી
મહામારીના અંત વીશે તેમણે કહ્યું કે ત્રણ થી ચાર લહેર બાદ મહામારી સમાપ્ત થઈ જવી જોઈએ. પરંતુ આ વીશે ચોક્કસ માહિતી ન આપી શકાય તેવું પણ તેંમણે કહ્યું હતું. પરંતુ હવે વધારે લહેર નહી આવે કારણકે સામે આપણી ઈમ્યુનીટી પણ વધી રહી છે. સાથેજ વેક્સિનેશન પણ વધારવામાં આવી રહ્યું છે. જેથી બની શકે આવનારા સમયમાં હવે કોરોનાનું પહેલા જેટલું ઘાતક સ્વરૂપ જોવા નહી મળે.