જગદીશ ઠાકોરનું મોટું નિવેદન: મુખ્યમંત્રી અને ત્રણ નાયબ મુખ્યમંત્રી એમા ખોટું શું છે, નાયબ મુખ્યમંત્રીને લઈ મેવાણી સામે કર્યો ઈશારો
જગદીશ ઠાકોરે DyCMને લઈ મેવાણી સામે કર્યો ઈશારો
આદિવાસી CM બનતો હોય તો તમારા પેટમાં કેમ તેલ રેડાય: જગદીશ ઠાકોર
મુખ્યમંત્રી અને ત્રણ નાયબ મુખ્યમંત્રી એમા શું ખોટું છે: જગદીશ ઠાકોર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતનો પ્રચાર પડઘમ શાંત થયો છે. બીજા તબક્કાની ૯3 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. આ તમામ બેઠકો પર આજે પાંચ વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થયા છે. એવામાં ગઈકાલથી વિવધા માધ્યમોથી જણાવા મળી કહ્યું છે કે, ગુજરાત કોંગ્રેસ જ્ઞાતિનું કાર્ડ રમવા જઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયો છે કે જો તેમની ગુજરાતમાં સરકાર બની તો OBC ચહેરો મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત ગુજરાતમાં એક-બે નહીં ત્રણ નાયબ મુખ્યમંત્રી હશે. જેમાં SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. KHAM બાદ ફરી કોંગ્રેસે જ્ઞાતિ સમીકરણનું 'બ્રહ્માસ્ત્ર' અપનાવ્યું છે.જે બાબતે કોંગ્રેસના નેતાઓના નિવેદનો આવી રહ્યા છે. કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે.
જગદીશ ઠાકોરનું મોટું નિવેદન
બીજા તબક્કાના મતદાન થાય તેના પહેલા કોંગ્રેસ મોટો દાવ રમી રહી હોય તેવું જણાઈ રહ્યું છે જેને લઈ અનેક રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસે બક્ષીપંચ, અનુસૂચિત જન જાતિ અને આદિવાસી અને મુસ્લિમ થિયરી અપનાવી હોય તેવું જણાઈ રહ્યું છે. કોંગ્રેસે નેતા જગદીશ ઠાકોરનું મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અંગે વડગામથી મોટું નવિદેન સામે આવ્યું છે. તેમજ તેમને જણાવી દઈએ કે, જિજ્ઞેશ મેવાણી નાયબ મુખ્યંમત્રી બની શકે તેવો પણ હાથથી ઈશારો કર્યો છે. ઠાકોર એમ પણ કહ્યું કે, અનંત પટેલ મુખ્યમંત્રી બને તો તમારા પેટમાં તેલ કેમ રેડાય છે તેમણે એમ પણ કહ્યું કે, મીડિયામાં આવ્યું તે ભગવાન સાચુ કરે. તેઓ ત્રણ નાયબ મુખ્યમંત્રીને લઈ પણ બોલ્યા હતાં.
નાયબ મુખ્યમંત્રીને લઈ મેવાણી સામે કર્યો ઈશારો
તેમણે જણાવ્યું કે, પેલું ચાલતુ હતું કે, મુખ્યમંત્રી અને ત્રણ નાયબ મુખ્યમંત્રી પણ એમા શું ખોટું છે. તેમણે જીજ્ઞેશ મેવાણી સામે હાથથી ઈશારો કરી કહ્યું કે, શું આ અમારો નાયબ મુખ્યમંત્રી બને જેવો નહીં. તેમણે કહ્યું અમારો અનંત પટેલ આદિવાસી મુખ્યમંત્રી બનતો હોય તો કેમ તમારા પેટમાં તેલ રેડાય છે તેમણે કહ્યું કે, છેલ્લે છેલ્લે જે મીડિયામાં આવી રહ્યું છે તે બધુ સાચું થાય તેવું દેખાઈ રહ્યું છે.