એક તરફ નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે કેમ તેને લઈને રાજકીય સસ્પેન્સ યથાવાત રહેવા પામ્યુ છે. જેની વચ્ચે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનું મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે,મારા પિતા રાજકારણમાં જોડાશે અમારા પરિવાર તરફથી તેમને સમર્થન છે. શિવરાજ પટેલ જણાવ્યું હતું કે, 30 માર્ચ બાદ મારા પિતા પોતાનો નિર્ણય જાહેર કરશે. રાજકારણમાં જોડાયા બાદ શિક્ષણ અને આરોગ્ય પ્રથમ મુદ્દો હશે. મહત્વનું છે કે, તાજેતરમાં નરેશ પટેલની દિલ્હી મુલાકાતને સૂચક ગણાઇ રહી છે. નરેશ પટેલના પરિવારજનો પણ રાજકીય પ્રવેશને ઇચ્છી રહ્યાં છે. નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તેવા પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા.
નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તેવા પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા
બીજી તરફ પ્રાપ્ત વિગતો અનુસાર નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની બેઠક થઈ ગઈ છે. નરેશ પટેલે કોંગ્રેસમાં જોડાવાની એક શરત મૂકી છે કે પ્રશાંત કિશોરને કેમ્પેઇનિંગ સોંપવામાં આવે. ગુજરાત બહાર બંને વચ્ચે સમગ્ર રણનીતિ મામલે બેઠક પણ થઈ ગઈ છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્લીમાં રાહુલ ગાંધીને મળી ચૂક્યા છે. જેમાં પ્રશાંત કિશોરને ગુજરાતના ચૂંટણી પ્રચારના કેમ્પેઇનિંગની જવાબદારી સોંપવામાં આવે તેવી બાબતે પણ ચર્ચા થઈ છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની એક સાથે ગુજરાત કોંગ્રેસમાં એન્ટ્રી થશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની થઇ ચૂકી છે બેઠક
પ્રશાંત કિશોરની એન્ટ્રી થાય તો નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી નક્કી હોવાનું મનાઇ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાત બહાર નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની બેઠક થઇ ગઈ છે. નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની એક શરત છે. પ્રશાંત કિશોરને કેમ્પેઇનિંગ સોંપવામાં આવે તેવી શરત મૂકી છે. જેને લઇને હવે પ્રશાંત કિશોરની એન્ટ્રી લગભગ નક્કી હોવાનું મનાઇ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે બેઠક થઇ હતી. જે બેઠકમાં પ્રશાંત કિશોર મુદ્દે વાત થઇ છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની એક સાથે કોંગ્રેસમાં એન્ટ્રી નક્કી છે.
નરેશ પટેલ હજુ સુધી કોઈ પાર્ટીમાં જોડાયા નથી
ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ તરફથી હજુ સુધી કઈ પાર્ટીમાં જોડાવાના છે તેની કોઈ સ્પષ્ટ જાહેરાત નથી થઈ. નરેશ પટેલે કહ્યું હતું કે રાજકારણમાં જોડાવાનો હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો. પણ હા સમાજને પૂછીને કોઈ નિર્ણય લેવામાં આવશે. હાલતો ગુજરાતની રાજનીતિમાં નરેશ પટેલ 'કોની સાથે'ની ચર્ચા થઇ રહી છે. જોકે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે તેમનો અંગત નિર્ણય છે. જોકે તમામ પક્ષો તેમને પોતાના પક્ષમાં લેવાના અથાક પ્રયત્નો કરી રહ્યા છે.