ભારતીય રેલ્વે કોરોના સંકટની વચ્ચે કમાણીમાં વધારો કરવા માટે યાત્રીઓને મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. રેલ્વે દેશના ખાસ પ્લેટફોર્મ પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત બમણી કરવાનું વિચારી રહ્યું છે. ખાસ કરીને આ સમયે અત્યારે પ્લેટફોર્મ ટિકિટના ભાવ 10 રૂ. છે તેને વધારીને 20 રૂપિયા કરાશે. આ સિવાય યૂઝર્સ ડેવલપમેન્ટ ફીસ સ્કીમ પણ લાગૂ કરવાની તૈયારીમાં છે. આ મહિનાથી દેશના 121 સ્ટેશન પર UDF Scheme લાગૂ કરાશે. અને પ્લેટફોર્મ ટિકિટની કિંમત પણ વધારાશે.
ભારતીય રેલ્વેનો યાત્રીઓને મોટો ઝટકો
121 સ્ટેશન પર UDF Scheme લાગૂ કરાશે
પ્લેટફોર્મ ટિકિટની કિંમત પણ બમણી કરાશે
દેશના 1050 સ્ટેશન પર યાત્રીઓ પાસે લેવાય છે યૂઝર ચાર્જ
રેલ્વે બોર્ડના ચેરમેન અને સીઈઓ વિનોદ કુમાર યાદવે કહ્યું હતું કે એરપોર્ટ્સની જેમ રેલ્વે સ્ટેશનો પર પણ યાત્રીઓ પાસે યૂઝર ચાર્જ લેવો જોઈએ. ઈન્ડિયન રેલ્વેએ કહ્યું કુલ રેલ્વે સ્ટેશનના 10થી 15 ટકા પર આ ચાર્જ લેવાશે. સાથે જ 1050 સ્ટેશનો પર યાત્રીઓ માટે ફૂટફોલ વધારાશે. તેના માટે સ્ટેશનની ક્ષમતા વધારવાને માટે તેને ફરી બનાવાશે. આ સ્ટેશનો પર યૂઝર ચાર્જ લેવાશે.
પ્રાઇવેટ કંપનીઓ રી ડેવલપમેન્ટ પર કરશે 50 હજાર કરોડનું રોકાણ
ઈન્ડિયન રેલ્વે આ સમયે પ્રાઈવેટ કંપનીની સાથે મળીને તેને ઝડપથી રી ડેવલપમેન્ટનું કામ કરી રહી છે. આ સ્ટેશનની સફાઈ, રીનોવેશન, સુંદરતા, મેન્ટેનન્સ, ડેવલપમેન્ટ પ્રાઈવેટ કંપનીઓ કરે છે. બિડિંગ ડોક્યૂમેન્ટ્સમાં યૂઝર્સની ફી પણ સામેલ છે તેથી વધારે રોકાણ કારોને આકર્ષી શકાશે. નાગપુર, નેલ્લોર, પોંડિચેરી, દહેરાદૂન, ગ્વાલિયર સ્ટેશનો માટે યૂઝર્સ ફીને પ્રસ્તાવમાં સામેલ કરાઈ છે. આ સ્ટેશનો માટે ટ્રેન ટિકિટનું ભાડું પણ વધારાશે. યૂઝર્સ ચાર્જને શરૂઆતમાં 121 સ્ટેશન પર લાગૂ કરાશે.