કબૂલાત / અમદાવાદમાં બિસ્માર રસ્તા પર મોટો ખુલાસો, મેટ્રો રેલ પ્રોજેક્ટ છે જવાબદાર !

અમદાવાદના બિસ્માર થયેલા રોડ-રસ્તા પાછળ મેટ્રો રેલ પ્રોજેક્ટ જવાબદાર છે. મેટ્રો રેલ કોર્પોરેશનના કારણે રસ્તાઓની ખરાબ હાલત થઈ છે. વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ના હોવાથી રસ્તા પર ખાડા પડ્યા છે. મેટ્રો રૂટના 34 કિમીમાંથી માત્ર 6 કિમી રસ્તા જ ખરાબ હોવાનો દાવો કરાયો છે. જોકે મેટ્રો રૂટ પર 571 ખાડાઓ પડ્યા હોવાનું મેટ્રો રેલ કોર્પોરેશને સ્વીકાર્યું છે. જ્યારે 476 ખાડાઓનું પુરાણ કર્યું હોવાનો દાવો પણ કરાયો છે. મેટ્રો રૂટ પર 100 જેટલા ખાડા હજીપણ યથાવત્ હોવાનું કહેવાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ