સ્વીટી પટેલ હત્યા કેસમાં ચોંકવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. હત્યારા પતિએ સ્વીટીની લાશને સળગાવવા ખાસ કેમિકલનો ઉપયોગ કર્યો હતો અને સળગાવ્યા બાદ તેના હાડકા હોટેલની પાછળ દાટી દીધા હતા.
સ્વીટી પટેલ હત્યા કેસમાં નવા ખુલાસો
મૃતદેહને સળગાવા PIએ ખાસ કેમિકલનો ઉપયોગ કર્યો
મૃતદેહ સળગ્યા બાગ હાડકા હોટલ પાછળ દાટી દીધા
સ્વીટી પટેલની હત્યાનો મામલે આરોપી PI અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ આજે ક્રાઈમ બ્રાન્ચના રિકન્સ્ટ્રક્શનમાં ચોંકાવનારા ખુલાસાઑ સામે આવ્યા છે. સ્વીટીની મૃતદેહને બાળવા ખાસ કેમિકલનો ઉપયોગ કરાયો હતો. બાદમાં મૃતદેહને સળગાવ્યા બાદ હાડકા હોટલની પાછળ દાટી દીધા હતા.
કઈ રીતે કરાયું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન?
આરોપી PI અજય દેસાઈએ ફિલ્મી ઢબે સ્વીટીની હત્યાને અંજામ આપ્યો હતો.. સરકાર તરફથી છૂટેલા આદેશ બાદ આરોપીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ અને પૂછપરછ કરવાં આવી હતી જે બાદ અંતે આરોપીને સાથે રાખી કઈ રીતે હત્યા કરી અને તે બાદ શું કર્યું તેની વિગતો મેળવવા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.. જેમાં સ્વીટીની હત્યા બાદ મૃતદેહને બાળવા ખાસ કેમિકલનો ઉપયોગ કરાયો હોવાનો ખુલાસો થયો. મૃતદેહને સળગાવ્યા બાદ હાડકા હોટલની પાછળ દાટી દીધા હોવાનું આરોપી PI અજય દેસાઈએ કબૂલ્યું. ત્યારબાદ આરોપીએ બતાવેલી જગ્યા પર પોલીસ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું..જેમા એક બાદ એક અલગ અલગ જગ્યાએ દાટી દીધેલાં હાડકાને ખાડાઓ ખોદી બહાર કાઢવામાં આવ્યા.
હાડકાંને સબૂત ગણી રજૂ કરાશે
ક્રાઈમ બ્રાન્ચના રિકન્સ્ટ્રક્શનમાં મળેલા હાડકાઓ FSLમાં તપાસ માટે મોકલાશે.. ત્યાર બાદ રિપોર્ટના આધારે વધુ ખુલાસો થશે.. હત્યાના અનેક તારોને એક કરી બંને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પગલાં ભરાશે.
કેવી રીતે થયો હત્યાનો પર્દાફાશ ?
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જાણાવ્યું છે કે PIની બંને પત્ની એક જ સમયે વડોદરામાં હતી. જેને પગલે અજય દેસાઈ બંનેને સમય આપી શકતો ન હોવાથી તેણે સ્વીટીને 4 જૂનની સાંજે ઘલું દબાવીને કાયમ માટે ચૂપ કરી દીધી હતી. PI દેસાઈએ સ્વીટી પટેલની હત્યા અગાઉ તેના મિત્ર અને કોંગ્રેસ નેતા કિરીટસિંહ જાડેજાને કહ્યું હતું કે, મારી બેન લગ્ન કર્યા વિના જ ગર્ભવતી થઈ ગઈ હોવાથી તેની હત્યા કરવી પડશે. આ વાતથી કિરીટસિંહ પહેલા ચોંકી ગયા હતા, ત્યારબાદમાં મિત્ર અજયને મદદ કરવાની કિરીટસિંહે તૈયારી બતાવી હતી. આરોપી ખુદ SOG PI હોવાથી મર્ડરનો પર્ફેક્ટ પ્લાન ઘડ્યો હતો. 49 દિવસ સુધી આ કેસમાં પોલીસને તેણે ગોળ ગોળ ફેરવી હતી...આખરે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાતા પૂછપરછમાં આરોપી PI અજય દેસાઈ પડી ભાગ્યો હતો . બાદમાં ગુનો કબૂલ કરી, કઈ રીતે શાતિર મગજનો ઉપયોગ કરી હત્યાને અજામ આપી સ્વીટીને રહેશી નાખી તેની કબૂલાત કરી.
45 દિવસ પોલીસને ગોળ-ગોળ ફેરવી
ઉલ્લેખનીય છે કે આ કેસમાં આરોપી પતિએ 45 દિવસ સુધી પોલીસને ગોળ ગોળ ફેરવી હતી. પરંતુ અંતે તે ન બચી શક્યો અને હાલ તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. સમગ્ર મામલે હાલ એવી માહિતી સામે આવી છે. કે તેણે સ્વીટીના મૃતદેહને સળગાવવા માટે ખાસ કેમિકલનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આ કેસમાં બીજા પણ અન્ય ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.