ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું પાલઘર પાસે સર્જાયેલ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. ત્યારે અકસ્માતમાં ઘાયલ ડેરિયલ પંડોલેએ પોલીસને તેમના સ્ટેટ મેન્ટમાં કારણ જણાવતા પોલીસે તેમનું નિવેદન નોંધી નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
ટાટા સન્સના પૂર્વ ચેરમેનનું માર્ગ અકસ્માતમાં થયું હતું મોત
મોત કારણ હવે જાણવા મળ્યું
ઘાયલ થયેલ સાથી મુસાફરે પોલીસને અકસ્માતનું કારણ જણાવ્યું
ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી ગુજરાતમાં આવેલ ચર્ચની મુલાકાત લઈને પરત જઈ રહ્યા હતા. ત્યારે પાલઘર પાસે અચાનક કાર ચલાવી રહેલ વ્યક્તિ કાર પરનો કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં ઘાયલ ડેરિયલ પંડોલેએ પોલીસને તેમના સ્ટેટ મેન્ટમાં ચોક્ક્સ કારણ જણાવતા પોલીસે તેમનું નિવેદન નોંધી નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
મહારાષ્ટ્ર પોલીસે મંગળવારે નિવેદન નોંધ્યું
ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં મોતનું કારણ હવે સામે આવ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સહ-મુસાફર ડેરિયસ પંડોલે પોલીસને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જણાવ્યું છે. લગભગ દોઢ મહિના પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પછી મહારાષ્ટ્ર પોલીસે મંગળવારે તેનું નિવેદન નોંધ્યું છે.
મર્સિડીઝ બેન્ઝ કારમાં તેઓ ગુજરાતની પરતી આવી રહ્યા હતા
ડેરિયસ પંડોલે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અકસ્માત સમયે તેની પત્ની, ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનાહિતા પંડોલે કાર ચલાવી રહી હતી. તે તેની સાથે આગળની સીટ પર બેઠો હતો. સાયરસ મિસ્ત્રી અને તેમના ભાઈ જહાંગીર પંડોલે પાછળની સીટ પર બેઠા હતા. તેઓ મર્સિડીઝ બેન્ઝ કારમાં ગુજરાતથી મહારાષ્ટ્ર પરત ફરી રહ્યા હતા.
પત્ની અનાહિતા પંડોલે ચલાવી રહ્યા હતા કાર
મંગળવારે પાલઘરના કાસા પોલીસ સ્ટેશનની પોલીસને દરિયસ પંડોલેએ જણાવ્યું હતું કે જ્યાં અકસ્માત થયો હતો ત્યાં સૂર્યા નદીના પુલ પાસે તેની પત્ની અનાહિતા પંડોલે ત્રીજી લેન પર કાર ચલાવી રહી હતી. ત્યાં રસ્તો સાંકડો હતો અને તેની પત્ની લેન બદલી શકતી નહોતી. તે સમયે બીજી લેનમાં ભારે વાહન પણ આવી રહ્યું હતું, જેના કારણે લેન બદલવાની જગ્યા નહોતી.
પુલ સાંકડો હતો જેથી રોડ ટુ લેન થઈ ગયો
તેણે પોલીસને જણાવ્યું કે તેની પત્ની ગુજરાતથી મુંબઈ પરત ફરતી વખતે ત્રીજી લેનમાં કાર ચલાવી રહી હતી. પુલ પાસેનો રસ્તો સાંકડો હતો. ત્રણ લેનનો રોડ ટુ લેન થઇ ગયો હતો. તેમની કારની આગળ બીજી કાર હંકારી રહી હતી. આગળની કાર લેન બદલી અને ત્રીજી લેનથી બીજી લેનમાં ગઈ. તે કાર જોઈને તેની પત્ની અનાહિત પંડોલે પણ પોતાની કારને ત્રીજી લેનમાંથી બીજી લેનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.