EPFOએ સ્પષ્ટ કરી દીધુ છે કે નોમિનીને મળતી રકમ તેના પરિવારને નહીં આપવામાં આવે. જેમની મોત કોરોના વાયરસના કારણે થયું હોય.
EPFOના કર્મચારીઓને મોટી રાહત
30 હજાર કર્મચારીને મળશે ફાયદો
નોમિનીને મળશે 2 ઘણા પૈસા
EPFOએ પોતાના કર્મચારીઓ અને તેમના ઉપર આશ્રિતોને લઈને મોટો નિર્ણય કર્યો છે. હકીકતે EPFO કર્મચારીઓની અચાનક થયેલી મોત બાદ તેમના નોમિનીને બે ઘણી રકમ આપવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડની તરફથી કર્મચારીઓના આકસ્મિક નિધન બાદ તેના પરિવારને એક્સ ગ્રેશિયા ડેથ રિલીફ ફંડ આપવામાં આવે છે. જેને લઈને ઈપીએફઓએ આ રાહત આપી છે. તેનાથી EPFOના દેશભરમાં લગભગ 30 હજાર કર્મચારીઓને ફાયદો મળશે. આ નિર્ણયને લઈને સંસ્થાને પોતાની ઓફિસમાં સર્કુલર પણ જાહેર કર્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, સર્કુલરમાં EPFOએ સ્પષ્ટ કર્યું છે કે નોમિનીને મળતી રકમ તેમના પરિવારને નહીં આપવામાં આવે, તેમનું મોત કોરોના વાયરસના કારણે થયું છે. હવે આકસ્મિત નિધનથી મળતી રકમ વધારેની 8 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ ફંડ હેઠળ, પહેલા કર્મચારીના આશ્ચિતને ફક્ત 4.20 લાખ રૂપિયા જ આપવામાં આવતા હતા. આ હિસાબે જોવામાં આવે તો લગભગ 2 ઘણી રકમ નોંધવામાં આવી છે.
દર ત્રીજા વર્ષે વધી શકે છે 10 ટકા એમાઉન્ટ
એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે ત્રીજા વર્ષ પર આ રકમને લગભગ 10 ટકા વધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. જણાવી દઈએ કે EPFOના સદસ્યોએ માંગ કરી હતી કે ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા અને વધુમાં વધુ 20 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે. EPFOએ સર્કુલરના અનુસાર, જો કર્મચારીની મોત નોન કોવિડથી થઈ હશે તો તેના પરિવાર અથવા તો નોમિનીને 8 લાખ રૂપિયાની રકમ મળશે. આ રકમ EPFOના દેશભરમાં હાજર કર્મચારીઓને લઈને હશે. આ રકમ વેલ્ફેયર ફંડમાંથી આપવામાં આવશે. ત્યાં જ જો કર્મચારીનું મોત કોરોના વાયરસના કારણે થશે તો પછી 28 એપ્રિલ, 2020નો ઓર્ડર લાગુ થઈ જશે.
EPFOએ પીએફ એમાઉન્ટ પર આપ્યુ 8.5% ઈન્ટરેસ્ટ
હાલમાં જ કેન્દ્ર સરકારે 6.5 કરોડ લોકોના ખાતામાં PFનું વ્યાજ ટ્રાન્સફર કર્યું છે. તમારા પીએફ ખાતામાં પણ આવી ચુક્યું હશે. જો હજુ સુધી તમને SMS નથી આવ્યો તો તમે ઘરે બેઠા સરળતાથી ચેક કરી શકો છો. પાછલા અમુક મહિનાઓથી લોકો ખાતાધારક PF પર મળનાર વ્યાજની રાહ જોઈ રહ્યા હતા. EPFOએ આ વખતે પીએફ એમાઉન્ટ પર 8.5 ટકા વ્યાજ આપ્યું છે. તમે પોતાના ઘરે બેસીને ચેક કરી શકો છો કે તમારા વ્યાજમાં કેટલી રકમ મળી છે. તમે ફક્ત PF ખાતાની સાથે લિંક રજીસ્ટર્ડ મોબાઈલ નંબરની મદદથી PF વ્યાજ જાણી શકો છો.