મોદી સરકારે DICGC કાયદામાં ફેરફારની મંજૂરી આપી હોવાથી હવેથી બેન્ક ડૂબવાના કે બંધ થવાના કિસ્સામાં 90 દિવસની અંદર ખાતાધારકોને 5 લાખની વીમાની રકમ મળશે.
મોદી સરકારે બેન્ક ખાતાધારકોના હિતમાં નિર્ણય લીધો
DICGC કાયદામાં ફેરફારની મંજૂરી આપી
બેન્ક ડૂબવાના કે બંધ થવાના કિસ્સામાં 90 દિવસમાં 5 લાખની રકમ મળી જશે
બુધવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ડિપોઝીટ ઈન્સોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC) એક્ટમાં ફેરફારની મંજૂરી આપી દીધી છે. બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારામણે આ માહિતી આપી હતી. પંજાબ એન્ડ સિંધ બેન્ક, યેસ બેન્ક, લક્ષ્મી વિલાસ બેન્ક જેવી બેન્કોથી પરેશાન ગ્રાહકોને સરકાર પાસેથી રાહત મળતી જોવા મળી રહી છે. કેબિનેટ બેઠકમાં સરકાર DICGC એક્ટમાં ફેરફારને મંજૂરી આપી શકે છે. તેનાથી કોઈ બેન્કના ડૂબવા પર વીમા હેઠળ ખાતાધારકોના પૈસા ટૂંક સમયમાં પરત મળી જશે.
મોદી સરકારે આપી મંજૂરી
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થનારી કેબિનેટની બેઠકમાં ડિપોઝીટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોરપોરેશન (DICGC) એક્ટમાં સંશોધનને મંજૂરી આપવામાં આવી શકે છે. તેનાથી કોઈ પણ બેન્કના ડૂબવા પર વીમા હેઠળ ખાતાધારકોને પૈસા ટૂંક સમયમાં જ પરત મળી શકશે.
DICGC હકીકતમાં ભારતીય રિઝર્વ બેન્કની સબ્સિડિયરી છે અને આ બેન્ક જમા પર વીમા કવર ઉપલબ્ધ કરાવે છે. અત્યાર સુધી એવો નિયમ હતો કે જમાકર્તાઓને 5 લાખ રૂપિયાનો વીમો હોવા છતાં ત્યા સુધી પૈસા નહીં મળે જ્યાં સુધી રિઝર્વ બેન્ક કોઈ પ્રક્રિયા પુરી ન કરે. તેના કારણે લાંબા સમય સુધી તેમને પૈસા ન હતા મળતા. પરંતુ હવે આ એક્ટમાં ફેરફાર થવા પર ગ્રાહકોને રાહત મળશે.
પાંચ લાખનો વીમો
DICGCએ આ સુનિશ્ચિત કર્યું છે કે કોઈ બેન્કના ડૂબવા પર તેમના ગ્રાહકોને ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયાની રકમ પરત આપવામાં આવશે. પહેલા આ વીમા રકમ ફક્ત 1 લાખ રૂપિયા જ હતી. પરંતુ મોદી સરકારે ગયા વર્ષે જ તેને વધારીને 5 લાખ કરી દીધી છે.
અત્યાર સુધીની જોગવાઈઓ અનુસાર પાંચ લાખ રૂપિયા ગ્રાહકોને ત્યારે આપવામાં આવશે જ્યારે કોઈ બેન્કનું લાયસન્સ કેન્સલ થઈ જાય છે અને તેના લિક્વિડેશન એટલે કે એસેટ વગેરે વેચવાની પ્રક્રિયા શરૂ થાય છે.